Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mumbai : એરપોર્ટ પર એર ઈન્ડિયા-ઈન્ડિગો વિમાનોની પાંખો ટકરાઈ, મોટો હાદસો ટળ્યો

Mumbai : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે એક મોટો અકસ્માત ટળી ગયો છે, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનોની રન વે પર ટક્કર થઈ ગઈ હતી. બંને વિમાનોની પાંખો (વિંગ્સ) એકબીજા સાથે અથડાઈ. આ ઘટના એ સમયે બની જ્યારે બંને વિમાનમાં મુસાફરો સવાર હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને પણ ઈજા નથી થઈ અને તમામ મુસાફરો સુરક્ષિત છે.
mumbai   એરપોર્ટ પર એર ઈન્ડિયા ઈન્ડિગો વિમાનોની પાંખો ટકરાઈ  મોટો હાદસો ટળ્યો
Advertisement
  • Mumbai વિંગ ટુ વિંગ ટક્કર : મુંબઈ એરપોર્ટ પર બે વિમાનો અથડાયા, કોઈને ઈજા નહીં
  • એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનોના વિંગટિપ અથડાયા, તમામ મુસાફરો સુરક્ષિત
  • મુંબઈ એરપોર્ટ પર બે ફ્લાઈટની ટક્કર, બંને એરલાઈને ગ્રાઉન્ડ કરી
  • રનવે પર મોટી નજીકની ટક્કર ટળી : એર ઈન્ડિયા-ઈન્ડિગો વિમાનોના પાંખ અથડાયા

Mumbai : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર સોમવારે એક મોટો અકસ્માત ટળી ગયો છે, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનોની રન વે પર ટક્કર (Air India and IndiGo planes collide on runway) થઈ ગઈ હતી. બંને વિમાનોની પાંખો (wings) એકબીજા સાથે અથડાઈ. આ ઘટના એ સમયે બની જ્યારે બંને વિમાનમાં મુસાફરો સવાર હતા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને પણ ઈજા નથી થઈ અને તમામ મુસાફરો સુરક્ષિત છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2732 મુંબઈથી કોયંબતૂર જવા માટે ટેકઓફ પહેલાં પુશબેક પ્રક્રિયામાં હતી. તે જ સમયે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 791, જે હૈદરાબાદથી મુંબઈ પહોંચી હતી. આ દરમિયાન બંને વિમાનોના વિંગટિપ (પાંખના છેડા) એકબીજા સાથે ટકરાઈ ગયા હતા.

Advertisement

મુંબઈ કોયંબતૂર જતી ફ્લાઈટની અથડામણ

એર ઈન્ડિયાએ જારી કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 3 ફેબ્રુઆરીએ મુંબઈથી કોયંબતૂર જતી ફ્લાઈટ AI 2732માં વિલંબ થયો, કારણ કે જે વિમાનનો ઉપયોગ આ ઉડાન માટે થવાનો હતો તે ટેક્સીવે પર ઊભેલા બીજી એરલાઈનના વિમાન સાથે સંપર્કમાં આવી ગયું. એર ઈન્ડિયાના નિવેદન મુજબ બંને વિમાનોના વિંગટિપ એકબીજા સાથે અથડાયા, જેના કારણે એર ઈન્ડિયાના વિમાનના વિંગટિપને નુકસાન થયું.

Advertisement

એર ઈન્ડિયાએ શું કહ્યું?

એર ઈન્ડિયા (Air India) એ જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે વિમાનને આગળની તકનીકી તપાસ માટે ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા છે અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરલાઈને એ પણ સ્પષ્ટ કર્યું કે આ ઘટનાની જાણ સંબંધિત વિમાનના નિયામક સંસ્થાને કરી દેવામાં આવી છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતાં એર ઈન્ડિયાએ કહ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ઈન્ડિગોએ શું કહ્યું?

ઈન્ડિગો (Indigo) એ પણ નિવેદન જારી કરીને જણાવ્યું કે હૈદરાબાદથી મુંબઈ આવતી ફ્લાઈટ 6E 791ના એક વિમાનનો વિંગટિપ લેન્ડિંગ બાદ ટેક્સી દરમિયાન બીજી એરલાઈનના વિમાન સાથે સંપર્કમાં આવ્યો. એરલાઈનના જણાવ્યા અનુસાર તમામ મુસાફરો સંપૂર્ણ સુરક્ષિત છે અને પાર્કિંગ બાદ તેમને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. વિમાનની તકનીકી તપાસ ચાલુ છે. ઈન્ડિગોએ કહ્યું કે નિયત પ્રોટોકોલ મુજબ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરી દેવામાં આવી છે અને તપાસ ચાલુ છે. મુસાફરો, ક્રૂ અને વિમાનની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો-SURAT : તડકેશ્વર પાણી ટાંકી કાંડમાં મોટો ઘટસ્ફોટ : માત્ર 30% જ વાપર્યું સિમેન્ટ, ભ્રષ્ટાચારની પુષ્ટિ

Tags :
Advertisement

.

×