Kheda: વિદ્યાર્થીના આપઘાત મામલે દિનશા પટેલ નર્સિંગ કોલેજના આચાર્ય સહિત 5 સામે ફરિયાદ
નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી જય પાટીલે માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો છે. સ્યુસાઈડ નોટમાં કોલેજ સ્ટાફ પર ખોટા આક્ષેપો અને હેરાનગતિનો ઉલ્લેખ મળતા પોલીસે આચાર્ય સહિત પાંચ સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. પરિવાર અને સમાજ દ્વારા DySP સ્તરની તપાસ અને કડક સજાની માંગ સાથે આંદોલનની ચીમકી અપાઈ છે.
Advertisement
- Kheda Jay Patil Suicide Case: વિદ્યાર્થીનો આપઘાત મામલો ગરમાયો
- દિનશા પટેલ નર્સિંગ કોલેજના આચાર્ય સહિત પાંચ સામે ફરિયાદ
- દુષ્પ્રેરણા અને એટ્રોસિટી અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો
- પ્રિન્સિપાલ, ધારા મેડમ, શહેરીન મેડમ, સ્મિત સહિત આરોપી
Kheda Jay Patil Suicide Case:ખેડા જિલ્લાના નડિયાદ (Nadiad) શહેરમાં આવેલી જાણીતી દિનશા પટેલ નર્સિંગ કોલેજ (Dinsha Patel Nursing College) ના એક આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાત બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થી જય પાટીલ (Jay Patil) ના આપઘાત મામલે આખરે નડિયાદ રૂરલ પોલીસ (Nadiad Rural Police) દ્વારા કોલેજના આચાર્ય સહિત 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ (Atrocity Act) હેઠળ કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

