ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada: કુંવરજી હળપતિનાં આક્ષેપો બાદ ચૈતર વસાવાએ કહ્યું પુરાવા હોય તો કાર્યવાહી કરે

રાજ્યકક્ષાનાં મંત્રી દ્વારા AAP ના ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્યકક્ષાના મંત્રી દ્વારા લગાવવામાં આવેલ આરોપોને લઈ AAP ના ધારાસભ્ય દ્વારા મંત્રી સામે માનહાનિનો દાવો કરવાની ચીમક ઉચ્ચારી છે.
04:22 PM Apr 04, 2025 IST | Vishal Khamar
રાજ્યકક્ષાનાં મંત્રી દ્વારા AAP ના ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા છે. રાજ્યકક્ષાના મંત્રી દ્વારા લગાવવામાં આવેલ આરોપોને લઈ AAP ના ધારાસભ્ય દ્વારા મંત્રી સામે માનહાનિનો દાવો કરવાની ચીમક ઉચ્ચારી છે.
chaitar vasava gujarat first

રાજ્યકક્ષાનાં મંત્રી કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister) દ્વારા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava MLA) પર આકરા પ્રહાર કર્યા હતા. જેને લઈ હવે ચૈતર વસાવા (Chaitar Vasava MLA) મેદાને છે. ચૈતર વસાવા (Chaitar Vasava MLA)એ રાજ્યકક્ષાનાં મત્રી સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ એમની પાસે પુરાવા હોય તો કાર્યવાહી કરે. અને જો પુરાવા નહી આપે તો માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચૈતર વસાવા (Chaitar Vasava MLA)એ વધુમાં કહ્યું હતું કે, ગૃહમાં ભ્રષ્ટ્રાચારનો મુદ્દો ઉઠાવ્યો તે એમને ગમ્યુ નથી. કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister)ની વીર એન્ટરપ્રાઈઝમાં મોટું કૌભાંડ છે. તપાસ થાય તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ સામે આવે. મંત્રી કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister)એ ચૈતર વસાવા (Chaitar Vasava MLA)ને ચીટર કહ્યા હતા.

આ પણ વાંચોઃ VADODARA : પતિ હોવા છતાં મહિલાએ પોતાને વિધવા ગણાવી મોટી ઠગાઇ કરી

આદિવાસી સમાજ ને ગેરમાર્ગે દોરે છેઃ કુંવરજી હળપતિ (રાજ્યકક્ષાના મંત્રી)

રાજ્યકક્ષાનાં મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા (Chaitar Vasava MLA)સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમજ બંને ધારાસભ્યો દ્વારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે. તેમજ વિકાસનાં કામોને લઈ સમાજને ધારાસભ્યો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમજ રાજ્યકક્ષાનાં મંત્રી દ્વારા ચૈતર વસાવા (Chaitar Vasava MLA) પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava MLA) તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં બે ટકા લેવા માટેના પ્રયાસ કરે છે અને એજ પ્રકારે અનંત પટેલ બે ટકા નહી પરંતું દસ ટકાની માંગણી કરે અને આંદોલન કરવું પડે છે. એ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે. કુંવરભાઈએ કોઈ દિવસ રૂપિયાની માંગણી કરી નથી.

આ પણ વાંચોઃ Ahmedabad : નાના બાળક સાથે પરિણીતાએ રડતા-રડતા વીડિયો બનાવ્યો, ન્યાયની કરી માગ

રાજ્યકક્ષાનાં મંત્રી દ્વારા શું આક્ષેપ કર્યો

તાપી સોનગઢનાં ચીખલી ખાતે ભેંસરોટ ગામે રોડનાં ખાતમુર્હત મંત્રી કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister)નાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુર્હત સમારોહમાં મંત્રી કુંવરજી હળપતિ (Kunwarji Halpati Minister)એ જાહેર મંચ પરથી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં તેઓએ આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, વ્યારા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણનાં વિરોધ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બંને ધારાસભ્યો આદિવાસીઓને ગુમરાહ કરે છે અને ખોટું રાજકારણ રમે છે. તેઓ તેમનાં વિસ્તારમાં વિકાસના કામોમાં ટકાવારી લે છે તેવો આક્ષેપ પણ મંત્રી દ્વારા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય સામે કર્યો હતો.

આ પણ વાંચોઃ Gandhinagar : ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક

Tags :
Chaitar VasavaGujarat FirstGUJARAT FIRST NEWSKunwarji HalpatiNarmada SamacharTapi Samachar
Next Article