ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada : ઘાટના નવીનીકરણ દરમિયાન ભેખડ ધસતા ત્રણ સ્થાનિકો કામદારોના મોત

Narmada : નર્મદા જિલ્લાના અકટેશ્વર ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા ઘાટના નવીનીકરણ કાર્ય દરમિયાન એક મોટી ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ દુર્ઘટના ગત 25 ઓક્ટોબરે બની છે. NDRF-SDRFની ટીમોના બચાવ કાર્ય પછી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
09:13 PM Oct 26, 2025 IST | Mujahid Tunvar
Narmada : નર્મદા જિલ્લાના અકટેશ્વર ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા ઘાટના નવીનીકરણ કાર્ય દરમિયાન એક મોટી ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ દુર્ઘટના ગત 25 ઓક્ટોબરે બની છે. NDRF-SDRFની ટીમોના બચાવ કાર્ય પછી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

Narmada : નર્મદા જિલ્લાના અકટેશ્વર ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા ઘાટના નવીનીકરણ કાર્ય દરમિયાન એક મોટી ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ દુર્ઘટના ગત 25 ઓક્ટોબરે બની છે. NDRF-SDRFની ટીમોના બચાવ કાર્ય પછી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ કાર્ય રાષ્ટ્રીય એકતા દિવસ (31 ઓક્ટોબર) માટે મોટા પાયે ચાલુ હતું, પરંતુ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાઈને તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે કારણ કે કામમાં સુરક્ષા વ્યવસ્થાઓની ગંભીર ઉણપને કારણે આ દુર્ઘટના ઘટી છે.

અકટેશ્વર ગામ નજીક નર્મદા ઘાટના નવીનીકરણ કાર્ય દરમિયાન ભેખડ ખોદકામમાં જોડાયેલા ત્રણ સ્થાનિક કામદારો અચાનક ધસી પડેલા ભેખડ નીચે દબાઈ ગયા હતા. આ કાર્ય રાષ્ટ્રીય એકતા દિવસ માટે ઘાટની સુધારણા અને વિસ્તારના ભાગરૂપે ચાલુ હતું. ઘટના પછી તાત્કાલિક બચાવ કાર્ય શરૂ થયું અને NDRF-SDRFની ટીમો તૈનાત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. પ્રથમ બે મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ત્રીજા મૃતદેહની શોધખોળ ચાલુ રાખીને તેમનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

આ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે, અને તેઓએ ઘટનાસ્થળે વિરોધ પ્રદર્શન કર્યું. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે, "કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવે કારણ કે કામમાં સુરક્ષા વ્યવસ્થાઓની ગંભીર ઉણપ હતી." તેઓએ કહ્યું કે, "રાષ્ટ્રીય એકતા દિવસ માટે મોટા પાયે કામ ચાલુ છે, પરંતુ કામદારોની સુરક્ષા પર ધ્યાન નથી આપવામાં આવ્યું."

આ પણ વાંચો- Surat માં ધોધમાર વરસાદ : હવામાન વિભાગની આગાહી પગલે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન

Tags :
3 deathsAkteshwar VillageGhat RenovationlandslideNarmada DisasterNational Unity Day
Next Article