Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીયતાનો અનેરો ઉત્સાહ, વિધાનસભા અધ્યક્ષે વાવ-થરાદના કર્મવીરોનું કર્યું સન્માન

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી બાદ થરાદમાં કર્મવીરોનું અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં પ્રજાસત્તાક પર્વને અપ્રતિમ સફળતા અપાવનાર અધિકારીઓ, કર્મચારીઓ અને કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીયતાનો અનેરો ઉત્સાહ  વિધાનસભા અધ્યક્ષે વાવ થરાદના કર્મવીરોનું કર્યું સન્માન
Advertisement
  • થરાદમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક ઉજવણી બાદ કર્મવીરોનું ભવ્ય સન્માન : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી સરાહના
  • વાવ-થરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની સફળતા : અભિવાદન સમારોહમાં કર્મયોગીઓને અભિનંદન
  • થરાદના આંગણે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી બાદ સન્માન સમારોહ : જન-તંત્રના સંકલનની સરાહના
  • વાવ-થરાદે રાજ્ય કક્ષાએ બતાવી શ્રેષ્ઠતા : કર્મવીરોને વિધાનસભા અધ્યક્ષનું અભિનંદન, કલેક્ટરે કહ્યું - વિશ્વાસ વધ્યો

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી બાદ થરાદમાં કર્મવીરોનું અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં પ્રજાસત્તાક પર્વને અપ્રતિમ સફળતા અપાવનાર અધિકારીઓ, કર્મચારીઓ અને કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

મહિલાઓની વિશેષ સહભાગીતા

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારમાં આટલા ભવ્ય પાયે રાષ્ટ્રીય પર્વની ઉજવણી શક્ય બની છે. સમગ્ર વાવ-થરાદ પંથકમાં રાષ્ટ્રીયતાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જનતા અને વહીવટી તંત્રના અદ્ભુત સંકલનથી આયોજન સફળ રહ્યું. તેમણે કહ્યું કે, તમામ વિભાગોએ જનતા સાથે મળીને જે સુંદર સુરક્ષા વ્યવસ્થા અને સંકલન જાળવ્યું તે કાબિલેદાદ છે. ખાસ કરીને મહિલાઓની વિશેષ સહભાગીતા અને શસ્ત્ર પ્રદર્શન અનોખું રહ્યું હતું.

Advertisement

રાષ્ટ્રીય ભાવનાનું જીવંત પ્રતીક

અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, વાવ-થરાદના નાગરિકોએ માત્ર સરકારી ઇમારતો જ નહીં, પરંતુ પોતાની ખાનગી ઇમારતો અને ઘરોને પણ રોશનીથી ઝળહળાવીને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. રાત્રિના સમયે આખું થરાદ રોશનીથી ચમકતું હતું, જે રાષ્ટ્રીય ભાવનાનું જીવંત પ્રતીક બન્યું હતું. તેમણે કહ્યું કે, કર્મયોગીઓની નિષ્ઠા અને સ્મિતભર્યા સેવાભાવથી વહીવટી તંત્ર પ્રત્યે જનતાનો વિશ્વાસ વધ્યો છે. વાવ-થરાદે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને આ જ ઉત્સાહ સાથે આગળ વધીને જિલ્લાને દેશના અગ્રિમ જિલ્લાઓમાં સ્થાન અપાવવું જોઈએ. સૌર ઉર્જા, જળ સંચય, શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિત દરેક ક્ષેત્રે જિલ્લો આગળ વધે તે માટે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. તેમણે “સર્વે ભવન્તુ સુખિનઃ...” ના ભાવ સાથે સૌને અભિનંદન પાઠવ્યા.

જનતામાં વહીવટી તંત્ર પ્રત્યે અતૂટ વિશ્વાસ

વાવ-થરાદ જિલ્લા કલેક્ટર જે. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને વિશેષ પ્રયાસોને કારણે જ આટલા મોટા પાયે રાજ્ય કક્ષાનું આયોજન શક્ય બન્યું. હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જે વહીવટી તંત્રની સફળતાનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે, દરેક સ્તરના કર્મયોગીઓએ અત્યંત નિષ્ઠાથી ફરજ નિભાવી છે. ટેક્નિકલ ટીમ અને પાયાના કર્મચારીઓના પરિશ્રમથી જ આયોજન સુવ્યવસ્થિત રહ્યું. આ સફળતાએ થરાદ પંથકની જનતામાં વહીવટી તંત્ર પ્રત્યે અતૂટ વિશ્વાસ જગાડ્યો છે. આગામી સમયમાં પણ આ જ ઉત્સાહ સાથે જિલ્લાના વિકાસ માટે કાર્યરત રહેવાનું તેમણે આહ્વાન કર્યું હતું.

કર્મયોગીઓને બિરદાવ્યા

આ અવસરે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમારોહમાં તમામ કર્મયોગીઓને તેમની પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વાવ-થરાદ જિલ્લાના નવા નિર્માણ અને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે. જનતા અને વહીવટી તંત્રના સંકલનથી સર્જાયેલો આ ઉત્સાહ ભવિષ્યમાં પણ જિલ્લાને આગળ લઈ જશે.

આ પણ વાંચો-વાવ-થરાદમાં જાગૃતિ કાર્યક્રમ : તમને ખ્યાલ છે PF પર કેટલું વ્યાજ મળે છે? કયા સમયે-કઈ શરતો હેઠળ ઉપાડી શકો છો?

અહેવાલ- યશપાલસિંહ વાઘેલા, વાવ-થરાદ

Tags :
Advertisement

.

×