ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન : નડ્ડાની મોટી જાહેરાત

NDAની મજબૂત ચાલ: રાધાકૃષ્ણનની પસંદગીથી દક્ષિણમાં વર્ચસ્વનો પ્રયાસ
08:32 PM Aug 17, 2025 IST | Mujahid Tunvar
NDAની મજબૂત ચાલ: રાધાકૃષ્ણનની પસંદગીથી દક્ષિણમાં વર્ચસ્વનો પ્રયાસ
સી.પી. રાધાકૃષ્ણન

નવી દિલ્હી : રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ ઉપરાષ્ટ્રપતિ પદ માટેના પોતાના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ આ નિર્ણય જાહેર કર્યો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા. સી.પી. રાધાકૃષ્ણન 21 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન દાખલ કરશે.

સી.પી. રાધાકૃષ્ણનનો ટૂંકમાં પરિચય

રાજકીય પૃષ્ઠભૂમિ: 71 વર્ષીય સી.પી. રાધાકૃષ્ણન તમિલનાડુના કોઇમ્બતુરથી 1998 અને 1999માં બે વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. તેઓ તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ (1997-2000) પણ રહ્યા છે.
પ્રશાસનિક અનુભવ: તેઓ ઝારખંડ (2019-2021) અને તેલંગાણા (2019)ના રાજ્યપાલ તેમજ પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ (2019-2021) તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ (2021થી) છે.
શૈક્ષણિક પૃષ્ઠભૂમિ: રાધાકૃષ્ણન કોઇમ્બતુરના લોયોલા કોલેજમાંથી ગ્રેજ્યુએટ છે અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે દક્ષિણ ભારતમાં પાર્ટીનો પાયો મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

NDAનો રાજકીય દાવ

સી.પી. રાધાકૃષ્ણનની પસંદગીને દક્ષિણ ભારત, ખાસ કરીને તમિલનાડુમાં ભાજપની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ માનવામાં આવે છે. તેમનો વહીવટી અનુભવ અને દક્ષિણ રાજ્યોમાં ભાજપના કદાવર નેતા તરીકેની ઓળખ તેમને આ પદ માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે. આ પસંદગીથી NDA દક્ષિણ ભારતના રાજકીય સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં DMK અને કોંગ્રેસનું વર્ચસ્વ છે.

જગદીપ ધનખડના 21 જુલાઈના અચાનક રાજીનામાં બાદ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. નામાંકનની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે, અને 25 ઓગસ્ટ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. NDA પાસે લોકસભામાં 293 અને રાજ્યસભામાં 129 સાંસદોનું સમર્થન છે, જે કુલ 422 વોટ થાય છે. બહુમતી માટે 391 વોટની જરૂર છે, જેથી NDAની જીત નિશ્ચિત લાગે છે.

I.N.D.I.A. ગઠબંધન હજુ ઉમેદવારની જાહેરાત કરી શક્યું નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 18 ઓગસ્ટે વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી રહ્યા છે. જોકે, NDAનું સંખ્યાબળ મજબૂત હોવાથી વિપક્ષ માટે પડકાર મોટો છે.

આ પણ વાંચો-ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : ભાજપા સંસદીય બોર્ડની બેઠક, મોદી, શાહ-નડ્ડા હાજર, NDA ઉમેદવારની થઈ શકે જાહેરાત

Tags :
#CPRadhakrishnanBJPJPNaddaNDAVicePresidentElection
Next Article