Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

નેપાળ હિમાલયમાં મોટી દુર્ઘટના: યાલુંગ રી પર હિમપ્રપાતથી 7 પર્વતારોહકોના મોત, 4 લોકો લાપતા

નેપાળના દોખાલા જિલ્લામાં આવેલા યાલુંગ રી શિખરના બેઝ કેમ્પ પર ભયાનક હિમપ્રપાત થયો છે. આ દુર્ઘટનામાં પાંચ વિદેશી જેમાં ત્રણ અમેરિકન, એક કેનેડિયન, એક ઇટાલિયન સહિત સાત પર્વતારોહકોના મોત થયા છે. આ ઉપરાંત, ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે અન્ય ચાર ક્લાઇમ્બર્સ હજુ પણ ગુમ છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવ્યો છે, પરંતુ ગુમ થયેલા લોકોની શોધખોળ મંગળવારે ફરી શરૂ થશે.
નેપાળ હિમાલયમાં મોટી દુર્ઘટના  યાલુંગ રી પર હિમપ્રપાતથી 7 પર્વતારોહકોના મોત  4 લોકો લાપતા
Advertisement
  • Nepal avalanche climbers: નેપાળના હિમાલયમાં મોટી દુર્ધટના ઘટી
  • હિમપ્રપાત થતાં સાત પર્વતારોહકોના મોત
  • બે નેપાળના અને પાંચ વિદેશી નાગરિકોના થયા મોત

નેપાળના હિમાલય ક્ષેત્રમાં મોટી દુર્ઘટના (Nepal avalanche climbers) ઘટી હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. નેપાળના દોખાલામાં રોલવાલિંગ ખીણમાં 5,630 મીટરની ઊંચાઈ પર સ્થિત યાલુંગ રી શિખરના બેઝ કેમ્પ પર ભયાનક હિમપ્રપાત થયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત પર્વતારોહકોના કરૂણ મોત થયા છે, જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. દોખાલા જિલ્લા પોલીસ કાર્યાલયના નાયબ પોલીસ અધિક્ષક જ્ઞાન કુમાર મહતોએ સોમવારે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે મૃતકોમાં પાંચ વિદેશી નાગરિકો અને બે નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. વિદેશી મૃતકોમાં ત્રણ અમેરિકન નાગરિકો, એક કેનેડિયન અને એક ઇટાલિયન નાગરિક સામેલ છે.

Tags :
Advertisement

.

×