ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આપણી સંસ્કૃતિ સાથે સીદી સૈયદની જાળીને લેવાદેવા નથી: નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સીદી સૌયદની જાળીને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે.
12:06 AM Feb 18, 2025 IST | PIYUSHSINH SOLANKI
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સીદી સૌયદની જાળીને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સીદી સૌયદની જાળીને લઈને નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે.

મહેસાણાના કડી ખાતે 72 કડવા પાટીદાર ચુંવાળ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા. જે કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કરતા જણાવ્યું કે, પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે બહારથી આવનાર મહેમાનોને સીદી સૈયદની જાળી ભેટમાં આપવામાં આવતી હતી. હવે પેલી જાળી જે અમદાવાદમાં છેને ઈતિહાસમાં અને ચોપડીઓમાં તમે જોયું હશે આખા ગુજરાતને કંઈ લેવા-દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા-દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા-દેવા નહીં પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ સીદી સૈયદની જાળી ભેટ આપતા હતા. હવે એ બધું બંધ થઈ ગયું છે, આપણા વડાપ્રધાનએ જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઉંચામાં ઉંચી પ્રતિમા બનાવી ને જે સન્માન આપ્યું એટલે હવે આપણે બધાએ હજારો સમારોહમાં જઈએ છીએ, હું હોય કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે.

PM મોદીએ સરદાર પટેલની દુનિયાભરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી: નીતિન પટેલ

પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ સીદી સૈયદની જાળી એમને ભેટ આપતા હતા અને હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને સરદાર પટેલની દુનિયાભરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી એમને સન્માન આપ્યું. અમે હજારો સંમેલનમાં જઈએ છીએ હું હોવ કે અન્ય કોઈ નેતા બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા ભેટ આપે છે. અમને ગૌરવ થાય છે એ પ્રતિમા ખાલી દેખાવ પુરતી નથી. એમાંથી શીખવાનું છે આપણે સમાજની એકતા રાખવાની છે, ગુજરાતનું સંગઠન કરવાનું છે. નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે 'સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ' અને સૌનો પ્રયાસ' એ પ્રમાણે આપણે બધા એક થઈએ.

આ પણ વાંચો: Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપીને સજા ફટકારવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટનો આભાર માન્યો

Tags :
GujaratHeritageIndian cultureNitin PatelPoliticsSidi Saiyyed Jali
Next Article