Noida Fire News : નોઈડામાં એકવાર ફરી AC માં થયો ભયંકર બ્લાસ્ટ! બહુમાળી ઇમારતમાં ભીષણ આગ
નોઇડામાંથી મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. સેક્ટર 119 માં આવેલ એક બહુમાળી ઇમારતમાં વિકરાળ આગ લાગી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગનું કારણ એસી બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના નોઈડા સેક્ટર 119 માં આવેલી અરણ્ય સોસાયટીમાં બની છે.
Advertisement
દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં આગની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના નોઇડામાંથી મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. સેક્ટર 119 માં આવેલ એક બહુમાળી ઇમારતમાં વિકરાળ આગ લાગી હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગનું કારણ એસી બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના નોઈડા સેક્ટર 119 માં આવેલી અરણ્ય સોસાયટીમાં બની છે. સોસાયટીના એક ટાવરના 22 મા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં અનેક ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ભીષણ આગને કાબુમાં લીધી છે. સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

