'ભવિષ્યમાં 40 ટકા કામો AI કરી દેશે', OpenAI ના CEO એ કહી મોટી વાત
- સેમ ઓલ્ટમેને ઇન્ટરવ્યુમાં મોટી વાત કહી દીધી છે
- ભવિષ્યના અર્થતંત્રમાં 40 ટકા સુધીનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરી દેશે
- AGI મનુષ્યોને "પ્રેમાળ માતાપિતા" જેવો વર્તે છે - સેમ ઓલ્ટમેન
OpenAI CEO Sam Altman : OpenAI ના સીઈઓ સેમ ઓલ્ટમેન (OpenAI CEO Sam Altman) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ભવિષ્ય વિશે આગાહીઓ કરવાનું ટાળે છે, પરંતુ તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, ટેકનોલોજીમાં ઝડપી પરિવર્તનને કારણે, "સુપરઇન્ટેલિજન્સ" (ખૂબ જ સ્માર્ટ AI) ભવિષ્યમાં આપણે જે કાર્યો કરીએ છીએ, તેના લગભગ 40% એઆઇ શકે છે.
મને ખૂબ જ આશ્ચર્ય થશે
જર્મન અખબાર સાથેની એક મુલાકાતમાં, ઓલ્ટમેને (OpenAI CEO Sam Altman) આર્ટિફિશિયલ જનરેટિવ ઇન્ટેલિજન્સ (AGI) ના વિકાસ અને નોકરીઓ પર તેની સંભવિત અસર સહિતના વિષયો પર ચર્ચા કરી હતી, જેમાં અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. સુપરઇન્ટેલિજન્સ, અથવા AGI, ક્યારે "બધા પાસાઓમાં મનુષ્યો કરતાં વધુ બુદ્ધિશાળી" હશે તે સવાલ પૂછવામાં આવતા, ઓલ્ટમેને કહ્યું કે GPT5 પહેલાથી જ તેમના અને ઘણા લોકો કરતાં વધુ બુદ્ધિશાળી હોવા છતાં, AGI આ દાયકાના અંત પહેલા આવી શકે છે. તેમણે ઉમેર્યું, "જો આપણી પાસે [2030 સુધીમાં] એવા મોડેલ ના હોય જે અસાધારણ રીતે સક્ષમ હોય અને જે કામ આપણે પોતે કરી શકતા નથી તે કરી શકે, તો મને ખૂબ જ આશ્ચર્ય થશે."
નોકરીઓ ભવિષ્યમાં AI કરશે
તેમને પૂછવામાં આવ્યું કે, ભવિષ્યમાં આજની કેટલી ટકા નોકરીઓ અદૃશ્ય થઈ શકે છે, ત્યારે સેમ ઓલ્ટમેનએ જવાબ આપ્યો કે, તેમને લાગે છે કે, કાર્યોની ટકાવારી વિશે વાત કરવી ઉપયોગી છે, નોકરીઓની ટકાવારી વિશે નહીં. હું સરળતાથી એવી દુનિયાની કલ્પના કરી શકું છું જ્યાં આજે અર્થતંત્રમાં 30-40% કાર્યો નજીકના ભવિષ્યમાં AI દ્વારા કરવામાં આવશે.
સુપરઇન્ટેલિજન્સ અને માનવો વચ્ચેનો સંબંધ
ઓલ્ટમેનને (OpenAI CEO Sam Altman) એમ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ AI સંશોધક એલિઝર યુડકોવસ્કીના મંતવ્ય સાથે સહમત છે, જે માને છે કે સુપરઇન્ટેલિજન્સ અને માનવો વચ્ચેનો સંબંધ મનુષ્યો અને કીડીઓ વચ્ચેના સંબંધ જેવો હશે. તેમણે જવાબ આપ્યો કે AGI મનુષ્યોને "પ્રેમાળ માતાપિતા" જેવો વર્તે છે. તેમનો જવાબ AI ગોડફાધર્સ જ્યોફ્રી હિન્ટન અને યાન લેકનનો પડઘો પાડે છે, જેમણે અગાઉ દલીલ કરી હતી કે AI મોડેલોમાં "માતૃત્વ વૃત્તિ" સ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે જેથી તેઓ લોકોની કાળજી રાખે. ઓલ્ટમેને AGI ની આડઅસરો વિશે પણ ચર્ચા કરી, કહ્યું કે તેના "પરિણામો આપણે સમજી શકતા નથી", તેથી આપણે તેમાં માનવીય મૂલ્યો સ્થાપિત કરવા જોઈએ.
આ પણ વાંચો ----- મફતના ભાવે ખરીદીનો દાવો કરતા Online Sale માં કેટલી સચ્ચાઇ, સરળતાથી સમજો