ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Sindoor LIVE Updates: 25 મિનિટમાં 9 કેમ્પનો ખાતમો, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ કહી ખાસ વાત

ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલય સમગ્ર ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ કરી
10:53 AM May 07, 2025 IST | SANJAY
ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલય સમગ્ર ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ કરી

 Operation Sindoor : ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલય સમગ્ર ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને બે મહિલા અધિકારીઓ હાજર રહ્યા હતા. આમાં વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીનો સમાવેશ થાય છે.

કોમી રમખાણો ભડકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો

પ્રેસ બ્રીફિંગની શરૂઆતમાં, 2001 માં ભારત પર થયેલા સંસદ હુમલા, 2008 માં મુંબઈ આતંકવાદી હુમલો, ઉરી, પુલવામા અને પહેલગામ હુમલાને લગતી ક્લિપિંગ્સ બતાવવામાં આવી હતી. વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે પહેલગામ પરનો હુમલો કાયરતાપૂર્ણ હતો. આ હુમલો જમ્મુ અને કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. કોમી રમખાણો ભડકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પહેલગામ હુમલાની તપાસમાં પાકિસ્તાનના આતંકવાદીઓ સાથેના સંબંધોનો પર્દાફાશ થયો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન વિશ્વભરના આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન રહ્યું છે. આ આતંકવાદીઓને સજાથી બચવામાં મદદ કરે છે.

ન્યાય માટે ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતાં સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા હુમલાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે, આ ઓપરેશન મંગળવારે મોડી રાત્રે 1.05 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ અડધો કલાક સુધી 1.30 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ કાર્યવાહી હેઠળ નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્રણ દાયકામાં, પાકિસ્તાને આતંકવાદના કારખાનાઓ સ્થાપ્યા છે.

આતંકવાદીઓએ અહીંથી તાલીમ લીધી હતી

બ્રીફિંગ આપતી વખતે, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર નક્કર ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લશ્કરના તાલીમ કેન્દ્ર પર હુમલો થયો હતો. આતંકવાદીઓએ અહીંથી તાલીમ લીધી હતી. આતંકવાદીઓની કમર તોડી નાખવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. બાર્નાલા કેમ્પ પણ તોડી પાડવામાં આવ્યો. સિયાલકોટમાં મહમૂના કેમ્પ પણ નાશ પામ્યો છે.

આ પણ વાંચો: Operation Sindoor India Air Strike : પાકિસ્તાનના 100 કિમી અંદર સુધી હુમલો, જુઓ 9 સ્થળો પર 100 આતંકીઓનો ખાતમો

Tags :
AirStrikeairstrikesGujaratFirstIndiaIndia Air StrikeindianOperation SindoorPakAttackPakistan
Next Article