ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર મેળામાં ચકડોળ દુર્ઘટના : ઓપરેટરનું મૃત્યુ, તંત્રની બેદરકારી પર સવાલો

બીલીમોરા મેળા દુર્ઘટનામાં ઓપરેટરનું મૃત્યુ : તંત્રની ઢીલી કામગીરી નડી
09:03 PM Aug 26, 2025 IST | Mujahid Tunvar
બીલીમોરા મેળા દુર્ઘટનામાં ઓપરેટરનું મૃત્યુ : તંત્રની ઢીલી કામગીરી નડી

નવસારી : નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે શ્રી સોમનાથ મહાદેવ મંદિરના શ્રાવણ મેળામાં 17 ઓગસ્ટ 2025ના રોજ બનેલી ચકડોળ (ટાવર રાઈડ) તૂટી પડવાની ઘટનાએ એક સપ્તાહ બાદ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાઈડ ઓપરેટર બકીલ (ઉંમર આશરે 30)નું સુરતની ખાનગી હોસ્પિટલમાં 8 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે. આ ઘટનામાં બે બાળકો, એક મહિલા અને ઓપરેટર સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી અન્ય ચારેયની હાલત સ્થિર જણાવવામાં આવે છે. આ દુર્ઘટનાએ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને મેળા આયોજકોની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

50 ફૂટ ઊંચી રાઈડ અચાનક તૂટી પડી

બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારની પૂર્વ રાત્રે (17 ઓગસ્ટ 2025) લગભગ 10:40થી 11:45 વાગ્યાની આસપાસ “ટોરા ટોરા” નામની ટાવર રાઈડ, જે આશરે 50 ફૂટ ઊંચી હતી, અચાનક તૂટી પડી હતી. રાઈડ ઉપરથી નીચે આવતી વખતે કેબલ તૂટી જવાથી રાઈડ જમીન પર ધડામ કરીને પડવાના કારણે મેળામાં અફરાતફરી મચી ગઈ હતી. આ રાઈડમાં અંદાજે 10 લોકો સવાર હતા, જેમાંથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોમાં જશ રાજીવ ટંડેલ (14), દીર્ઘ હેમંત ટંડેલ (14), રોશની વિકાસ પટેલ (30), દિશા રાકેશ પટેલ (21), અને રાઈડ ઓપરેટર બકીલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- Baroda Dairy : ભાવફેર મુદ્દે કલેક્ટર ઓફિસે બેઠક, ચેરમેન દિનેશ પટેલ અને MLA કેતન ઇનામદાર વચ્ચે ચેલેન્જ વોર!

ઘટના બાદ બીલીમોરા ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ચાર ઈજાગ્રસ્તોને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઓપરેટર બકીલને કમર અને માથામાં ગંભીર ઈજાઓને કારણે સુરતની હોસ્પિટલમાં રિફર કરાયો હતો. 8 દિવસની સારવાર બાદ બકીલનું મૃત્યુ થયું જેનાથી આ ઘટનાની ગંભીરતા વધુ વધી છે.

સુરક્ષા વ્યવસ્થા ઉપર ઉભા થયા પ્રશ્ન

આ દુર્ઘટનાએ મેળાની સુરક્ષા વ્યવસ્થા, રાઈડની ટેકનિકલ ચકાસણી અને વહીવટી તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે તેમણે માત્ર મેદાન ભાડે આપ્યું હતું, અને રાઈડની ટેકનિકલ ચકાસણીની જવાબદારી સંબંધિત તંત્રની હતી. જોકે, સ્થાનિક લોકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો દ્વારા આ મુદ્દે ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

1. SOPનું પાલન : રાજ્ય સરકારના મેળા આયોજન માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું ખરેખર પાલન થયું હતું? રાઈડની સલામતી ચકાસણી પહેલાં મંજૂરી કેવી રીતે આપવામાં આવી?

2. ટેકનિકલ ચકાસણી : ચકડોળના સાધનોની યોગ્ય ખરાઈ (ફિટનેસ સર્ટિફિકેટ) કરવામાં આવી હતી, કે પછી મંજૂરી આપનારા અધિકારીઓએ નિયમોને નેવે મૂકીને આંખ આડા કાન કર્યા?

3. જવાબદારી : આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને રાઈડ સંચાલકો સામે કડક કાર્યવાહી થશે?

નવસારીના મનોરંજન વિભાગે આ ઘટનાની તપાસ માટે ટેકનિકલ કમિટીની રચના કરી હોવાનું જણાવ્યું છે, પરંતુ એક સપ્તાહ વીતવા છતાં તપાસની પ્રગતિ શૂન્ય હોવાનું જણાય છે. સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે કે, આવી ગંભીર ઘટના બાદ પણ તંત્ર ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યું છે.

આ પણ વાંચો- સુરતના વેલંજા વિસ્તારમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ : 6 શખ્સો ડિટેઇન, 12 ગ્રામ ડ્રગ્સ સાથે સાધનો જપ્ત

Tags :
#AdministrativeNegligence#BilimoraTragedy#ChakdolAccident#SafetyRules#SomnathMahadevFairnavsarinews
Next Article