ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ : સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસમાં ન્યૂ મણિનગરમાં સિંધી સમાજની કેન્ડલ માર્ચ, ન્યાયની માંગ

અમદાવાદમાં નયનની હત્યા બાદ આક્રોશ : ન્યૂ મણિનગરમાં 500 લોકોની કેન્ડલ માર્ચ
11:05 PM Aug 21, 2025 IST | Mujahid Tunvar
અમદાવાદમાં નયનની હત્યા બાદ આક્રોશ : ન્યૂ મણિનગરમાં 500 લોકોની કેન્ડલ માર્ચ

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. નયનના ન્યાય માટે ન્યૂ મણિનગર વિસ્તારમાં સિંધી સમાજ અને સ્થાનિક લોકો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી જેમાં 22 સોસાયટીના 500થી વધુ લોકો જોડાયા હતા. આ માર્ચ દ્વારા નયનને ઝડપી ન્યાય, આરોપીને 15 દિવસમાં ફાંસીની સજા, અને સ્કૂલ પ્રશાસન સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

કેન્ડલ માર્ચ અને લોકોનો આક્રોશ

નયન સંતાણીની હત્યા બાદ સિંધી સમાજ, વાલીઓ, અને સ્થાનિક લોકોએ ન્યૂ મણિનગરમાં મણિનગર રેલવે સ્ટેશનથી જયહિંદ ચાર રસ્તા, જવાહર ચોક, કૃષ્ણબાગ ચાર રસ્તા થઈને મણિનગર ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. આ માર્ચમાં લગભગ 500થી વધુ લોકો શામેલ થયા, જેમણે “નયનને ન્યાય મળે” અને “જય શ્રી રામ”ના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત મણિનગર, ખોખરા, અને ઇસનપુર વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગ દળ, યૂથ કોંગ્રેસ, અને NSUIના એલાનને પગલે લગભગ 200 સ્કૂલો અને સિંધી માર્કેટ સહિતના ધંધા-વેપાર બંધ રહ્યા.


આ પણ વાંચો- Surat માં નશાકારક સીરપના ગેરકાયદે વેચાણ પર SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડો

19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણી અને ધોરણ 8ના વિદ્યાર્થી વચ્ચે નાની બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડો હિંસક બન્યો અને ધોરણ 8ના વિદ્યાર્થીએ નયન પર થર્મોકોલ કટર અથવા છરી વડે હુમલો કર્યો. CCTV ફૂટેજમાં નયન પેટ પર હાથ રાખીને ઘાયલ હાલતમાં સ્કૂલમાં પાછો ફરતો જોવા મળ્યો હોવાનો અહેવાલ પાછળથી મળી રહ્યો છે. નયનને મણિનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ 20 ઓગસ્ટની મધ્યરાત્રિએ તેનું મૃત્યુ થયું હતું.

પોલીસે જણાવ્યું કે આરોપી જે નાની ઉંમરનો છે, તેની જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ તેના મિત્ર સાથેની Instagram અને WhatsApp ચેટમાં હત્યાની કબૂલાત કરી હતી, જેમાં તેણે કહ્યું, “હા, મેં છરી મારી” અને “અબ જો હો ગયા, વો હો ગયા” (જે થયું તે થયું). આ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેનાથી લોકોમાં વધુ આક્રોશ ફેલાયો હતો.

સિંધી સમાજ અને વાલીઓએ સરકાર પર ઝડપી ન્યાય પ્રક્રિયા માટે દબાણ વધાર્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સ્કૂલની નિષ્કાળજી અને આરોપીના ઈરાદા વિશે વધુ ખુલાસા થવાની શક્યતા છે. સ્કૂલ પ્રશાસનને DEO દ્વારા ઘટનાનો વિગતવાર અહેવાલ સબમિટ કરવા જણાવાયું છે. જો નિષ્કાળજી સાબિત થશે તો કડક કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો- અમદાવાદની શાળામાં હત્યાની ઘટના બાદ સુરત એલર્ટ : DEOનો શાળાઓને કડક આદેશ

Tags :
#NayanSantani#NyayaniMang#SeventhDSchool#SindhiSociety#StudentKillingAhmedabadCandleMarchGujaratNewManinagar
Next Article