Pahalgam Terror Attack : લાચાર પાકિસ્તાનની હલકી માનસિકતા છતી થઇ
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત દ્વારા કડક વ્યુહાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેને પગલે પાકિસ્તાન લાચારી તરફ જઇ રહ્યું છે. આ વચ્ચે લાચાર પાકિસ્તાનની હલકી માનસિકતા છતી થવા પામી છે. લંડનમાં પાકિસ્તારની કર્નલ (PAKISTANI ARMY OFFICER IN LANDON) દ્વારા શમરજનક કરતુત કરતા ભારતીય સેનાના પૂર્વ કેપ્ટન અભિનંદન કુમારનો (INDIAN ARMY EX. CAPTION ABHINANDAN KUMAR VARDHMAN) ફોટો બતાવીને તેના શિરચ્છેદની ધમકી આપવામાં આવી રહી છે. આ ઘટના લંડનમાં પાકિસ્તાની દુતાવાસ બહાર બની છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.
લંડનમાં પાકિસ્તાની કર્નલી શરમજનક કરતુત સામે આવી છે
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો છે. આતંકી ઘટના બાદ ભારતે વ્યુહાત્મક નિર્ણયો લેતા પાકિસ્તાન લાચારી તરફ ધકેલાઇ રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાનની હલકી માનસિકતાનો ચહેરો સામે ખુલીને આવ્યો છે. લંડનમાં પાકિસ્તાની કર્નલી શરમજનક કરતુત સામે આવી છે. કર્નલ તૈમુર રાહતે ભારતીસ વાયુ સેનાના પૂર્વ કેપ્ટન અભિનંદનનો ફોટો બતાવીને શિરચ્છેદની ધમકી આપી છે.
હરકત જોઇને લોકોના લોહી ઉકળી જાય તેમ છે
આ ઘટના પાકિસ્તાનની આતંકી માનસિકતા સમજવા માટે પણ પૂરતી છે. કર્નલ તૈમૂરની હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. તેની હરકત જોઇને લોકોના લોહી ઉકળી જાય તેમ છે. લંડનમાં પહલગામના આતંકી હુમલાના વિરોધ દરમિયાન તેે આ પ્રકારે હલકી માનસિકતા છતી કરતો ઇશારો કર્યો હતો. આ ઇશારો આડકકરી રીતે ભારતીય પ્રદર્શનકારીઓના માથા વાઢવા તરફનો પણ હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો ---- Pahalgam Terror Attack : જળ સંધિ રોક્યા બાદ પાકિસ્તાનો નિર્ણય તમને ખળખળાટ હસાવી દેશે