હિંદ મહાસાગરમાં હાજરી વધારશે Pakistan, કહ્યુ-અહીં નક્કી થશે યુદ્ધનું ભવિષ્ય
. હિંદ મહાસાગરમાં પાકિસ્તાન પ્રભાવ વધારીને વૈશ્વિક સપ્લાય ચેઈન અને એનર્જી રૂટ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે
. નૌસેના પ્રમુખે ટેકનોલોજી અને સંરક્ષણ ઉદ્યોગ વચ્ચે સહયોગ વધારીને નિકાસક્ષમ સુરક્ષા તંત્ર વિકસાવવા પર ભાર મૂક્યો છે
. પાકિસ્તાનની વધતી સક્રિયતા ભારતની સમુદ્રી સુરક્ષા માટે નવો ખતરો બની શકે છે
Pakistan Navy presence in Indian Ocean: પાકિસ્તાની નૌસેનાના પ્રમુખ એડમિરલ નવીદ અશરફ (Pakistan Navy Chief Admiral Naveed Ashraf) એ હિંદ મહાસાગર (Indian Ocean) ને લઈને મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યુ છે કે આગામી સમયમાં પાકિસ્તાની નૌસેના (Pakistan Navy) હિંદ મહાસાગરમાં પોતાની હાજરી વધારશે.
તેમણે કહ્યુ છે કે વૈશ્વિક વ્યાપારમાં પોતાના વિશાળ યોગદાનને કારણે હિંદ મહાસાગરમાં યુદ્ધનું ભવિષ્ય આકાર લઈ રહ્યું છે.
એડમિરલ નવીદ અશરફે ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારની અડચણથી વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલાઓ અને ઊર્જાની કિંમતો પર ઘણી અસર પડી શકે છે.
પાકિસ્તાની નૌસેના પ્રમુખનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે કે જ્યારે હોર્મુઝની ખાડી બંધ થવાથી વૈશ્વિક ઊર્જા સંકટ ઉભું થયું છે. તેવામાં જો પાકિસ્તાની નૌસેના હિંદ મહાસાગરમાં પોતાની હાજરી વધારે છે, તો તેનાથી ભારત માટે ખતરો વધી શકે છે.
પાકિસ્તાની સેના (Pakistani Army) ની પ્રોપગેન્ડા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR) એ નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે નૌસેના પ્રમુખે કરાચીમાં મેરીટાઈમ સેન્ટર ઓફ એક્સીલેન્સ દ્વારા આયોજીત બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ઉભરતી તકનીકો અને ભવિષ્યના યુદ્ધ - ના સમાપન પર આ નિવેદન આપ્યું છે.આ સંમેલનમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ સંમેલનનો ઉદેશ્ય સમુદ્રી વિશેષજ્ઞો, શિક્ષણવિદ્દો અને સંરક્ષણ ઉદ્યોગના પ્રતિનિધિઓને એક મંચ પર લાવવાનો હતો, જેથી તે બદલાતા ભૂરણનીતિક વલણો અને આધુનિક યુદ્ધ પર તકનીકી પ્રભાવ પર ચર્ચા કરી શકે.
આ પણ વાંચો: હિંદુ સમાજે એકજૂટ થવું જોઈએ, આખરે SC માં જસ્ટિસ નાગરત્નાએ શા માટે કહ્યું આવું?
સ્વદેશીકરણ પર ભાર મૂકી રહી છે Pakistan Navy
એડમિરલ અશરફે ઈનોવેશન, અનુકૂલનશીલતા અને ઓપરેશનલ પ્રાસંગિકતાઓને પ્રોત્સાહીત કરવા માટે ઉદ્યોગ, અંતિમ-વપરાશકારો અને શિક્ષણવિદ્દો વચ્ચે ઘનિષ્ઠ સહયોગના મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યુ કે આ પ્રકારનો સહયોગ સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહીત કરશે, જેનાથી પાકિસ્તાન માટે એક પ્રભાવી અને વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધી સુરક્ષા તંત્ર બનાવવામાં મદદ મળશે, જેમાં નિકાસની પણ ક્ષમતા હશે.
આ પણ વાંચો: RSS Mission US : "હિંદુઓએ કોઈપણ વાત માટે માફી માંગવાની જરૂરત નથી"
પાકિસ્તાની નૌસેનાના પ્રમુખે શું ચેતવણી આપી?
હિંદ મહાસાગરના રણનીતિક મહત્ત્વને રેખાંકીત કરતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ ક્ષેત્ર વૈશ્વિક વ્યાપાર પ્રવાહ માટે કેન્દ્રીય છે. તેમણે ચેતવણી આપી છે કે કોઈપણ પ્રકારની અડચણનો આની સાથે જોડાયેલી અર્થવ્યવસ્થાઓ પર દૂરગામી પરિણામો હોઈ શકે છે. સંમેલનમાં ઉન્નત તકનીકઓના નાગરિક અને સૈન્ય ઉપયોગ વચ્ચે ઝડપથી ધુંધળી થતી સીમાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો.
તેમને એ જણાવવામાં આવ્યું કે આ વલણ પાકિસ્તાનના સુરક્ષા તંત્ર માટે તક અને પડકાર બંને રજૂ કરે છે. પ્રતિસ્પર્ધીઓએ ચર્ચા કરી કે કેવી રીતે ઝડપથી થઈ રહેલા તકનીકી વિકાસ સંચાલન અવધારણાઓ, સંરચનાઓ અને પરિણામોને નવું રુપ આપીને યુદ્ધના સ્વરૂપને બદલાઈ રહ્યું છે.
આ પણ વાંચો: પાકિસ્તાન પર બાલાકોટ જેવી એરસ્ટ્રાઈક નહીં કરી શકે ભારત? US ના પૂર્વ રાજદૂતની વોર્નિંગ
Indian Ocean નું મહત્ત્વ
હિંદ મહાસાગર પ્રાચીન કાળથી જ વૈશ્વિક સમુદ્રી વ્યાપારની કરોડરજ્જૂ છે. આ મહાસાગર ચીન, દક્ષિણ-પૂર્વ એશિયાને આફ્રિકા તથા ખાડી દેશો સાથે જોડે છે.
હિંદ મહાસાગારના મહત્ત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દુનિયાના કેટલાક સૌથી મહત્ત્વપૂર્ણ ચેકપોઈન્ટ્સ હોર્મુઝ ખાડી (Strait of Hormuz) , મલક્કાની ખાડી (Strait of Malacca) અને બાબા-એલ-મંડેબ ખાડી (Strait of Malacca) તેના કિનારે જ આવેલી છે.
આ માર્ગનો ઉપયોગ મસાલા, રેશમ, સોનું અને ચ્હાના આદાન-પ્રદાન માટે થતો હતો, જેને મોનસૂની પવનોએ સરળ બનાવ્યું. આ સિવાય હિંદ મહાસાગરે ઘણી સંસ્કૃતિઓનું પણ મિલન કરાવ્યું.
હાલમાં આ દુનિયાના 50 ટકાથી વધુ કન્ટેનર અને 80 ટકા ઓઈલનો વ્યાપાર માર્ગ છે, જે ભારત અને અન્ય દેશો માટે રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ છે. તેવામાં હિંદ મહાસાગર પર રાજ કરનારા દેશ વૈશ્વિક સમુદ્રી પરિવહન પર પણ રાજ કરશે. આ કારણ છે કે પાકિસ્તાન હિંદ મહાસાગર પર કબજો કરવા માટે બેચેન છે.
આ પણ વાંચો: "એક જ જહાજના મુસાફર, ડુબીશું તો સાથે ડૂબીશું": મુસ્લિમોને બોલ્યા NSA અજીત ડોભાલ


