Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Patan : હારીજ હાઈવે પર લક્ઝરી બસ પલટી : એક્ટિવા ચાલકને બચાવવા જતા 2ના મોત, 18 ઘાયલ

Patan : ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર રવિવારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એક એક્ટિવા ચલાવતા યુવાનને બચાવવા માટે લક્ઝરી બસ ડ્રાઈવરે અચાનક ટર્ન મારી લેવાના કારણે બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં એક્ટિવા ચલાવતો યુવાન અને બીજા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
patan   હારીજ હાઈવે પર લક્ઝરી બસ પલટી   એક્ટિવા ચાલકને બચાવવા જતા 2ના મોત  18 ઘાયલ
Advertisement
  • Patan :  દુ:ખદ અકસ્માત, શંખેશ્વરથી પરત ફરતી લક્ઝરી બસ પલટાઈ, બેના મોત
  • એક્ટિવા ચાલકને બચાવવાના પ્રયાસમાં લક્ઝરી બસ પલટી : 2 મૃત્યુ, 18ને ધારપુર ખસેડાયા
  • પાંચગામ લેઉવા પાટીદાર સમાજના વડીલ વંદન કાર્યક્રમ પછી અકસ્માત : હારીજ પાસે બે મોત
  • હારીજ સમી હાઈવે પર ભીષણ અકસ્માત : લક્ઝરી બસમાંથી 18 ઘાયલ, બેના ઘટનાસ્થળે મોત

Patan :  ગુજરાતના પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર રવિવારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ અકસ્માતમાં એક એક્ટિવા ચલાવતા યુવાનને બચાવવા માટે લક્ઝરી બસ ડ્રાઈવરે અચાનક ટર્ન મારી લેવાના કારણે બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં એક્ટિવા ચલાવતો યુવાન અને બીજા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Patan : 18 લોકો ઘાયલ બે લોકોના મોત

લક્ઝરી બસમાં સવાર અન્ય 18 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા દ્વારા ધારપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બસમાં મુખ્યત્વે પાંચગામ લેઉવા પાટીદાર સમાજના સભ્યો સવાર હતા, જેઓ શંખેશ્વરથી વડીલ વંદન કાર્યક્રમ પતાવીને પરત ફરી રહ્યા હતા.

Advertisement

ઈજાગ્રસ્તો Patan સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

અકસ્માતના સમાચાર મળતાં જ સરકારી હોસ્પિટલમાં ઘાયલોના સંબંધીઓ અને સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરી છે.

Advertisement

આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે અને રોડ સેફ્ટી અંગે ફરી એક વખત ચર્ચા ઉભી કરી છે. પોલીસ અને વહીવટી તંત્ર ઘાયલોની સારવાર અને પરિવારજનોને મદદ પૂરી પાડવા માટે સક્રિય છે.

આ પણ વાંચો- PM મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું નિવેદન

Tags :
Advertisement

.

×