Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Somnath મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ, PM Modi એ સંઘર્ષ અને આસ્થાના પર્વને કર્યો યાદ

Somnath : ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિર (Somnath temple) ના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મે ના રોજ સોમનાથની મુલાકાત લેવાના છે. પોતાની આ યાત્રા પૂર્વે વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક વિશેષ પોસ્ટ કરી છે અને સોમનાથ મંદિરને લઈને એક પત્ર પણ લખ્યો છે.
somnath મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ  pm modi એ સંઘર્ષ અને આસ્થાના પર્વને કર્યો યાદ
Advertisement
  • Somnath મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ
  • Somnath મુલાકાત પહેલા PM Modi એ કરી પોસ્ટ
  • PM મોદીએ સોમનાથ મંદિરને લઇ લખ્યો પત્ર
  • 11 મેના રોજ સોમનાથ જવાનું સૌભાગ્ય મળશેઃ PM
  • આ યાત્રા મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે છેઃ PM

Somnath : ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિર (Somnath temple) ના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 મે ના રોજ સોમનાથની મુલાકાત લેવાના છે. પોતાની આ યાત્રા પૂર્વે વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક વિશેષ પોસ્ટ કરી છે અને સોમનાથ મંદિરને લઈને એક પત્ર પણ લખ્યો છે.

Advertisement

Somnath મુલાકાત પહેલા PM મોદીનો ખાસ પત્ર

વડાપ્રધાને તેમના પત્રમાં સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ અને તેના પુનઃનિર્માણ માટે થયેલા સંઘર્ષને યાદ કર્યો છે.

Advertisement

સૌભાગ્યશાળી પળ: PM મોદીએ જણાવ્યું કે 11 મેના રોજ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થશે.

75 વર્ષની ઉજવણી:આ યાત્રા મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ખાસ અવસરે યોજાઈ રહી છે.

સંઘર્ષની સ્મૃતિ: વડાપ્રધાને ઉલ્લેખ કર્યો કે મંદિરની રક્ષા અને તેના પુનઃનિર્માણ માટે પૂર્વજોએ મોટો સંઘર્ષ કરવો પડ્યો હતો.

પ્રેરણાનું પ્રતીક: સોમનાથ મંદિર ભારતની અસ્મિતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે, જે આપણને સતત તે સંઘર્ષની યાદ અપાવે છે.

આમ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

11 મેના રોજ PM મોદી લેશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 11 મેના રોજ સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં વિશેષ હાજરી આપશે. સોમનાથના આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી થયા બાદ વડાપ્રધાન વડોદરાની પણ મુલાકાત લેશે, જ્યાં તેમના હસ્તે સરદારધામનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: CM Bhupendrabhai Patel ના હસ્તે ગોધાવીમાં શ્રી શ્રી રવિ શંકર વિદ્યામંદિરનું ભૂમિ પૂજન ,જાણો નવી શાળાની વિશેષતા

Tags :
Advertisement

.

×