ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vande Mataram ગુલામી દરમિયાન ભારતના સ્વતંત્રતા સંકલ્પની ઘોષણા બની ગયું: PM Modi

Vande Mataram: PM Modi એ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ લાંબી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ 'વંદે માતરમ' ના અર્થ વિશે વાત કરી. તેમણે કહ્યું કે વંદે માતરમનો અર્થ 'સંકલ્પોની પરિપૂર્ણતા' થાય છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'વંદે માતરમ' ગુલામી દરમિયાન ભારતના સ્વતંત્રતા સંકલ્પની ઘોષણા બની ગયું.
11:32 AM Nov 07, 2025 IST | SANJAY
Vande Mataram: PM Modi એ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ લાંબી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ 'વંદે માતરમ' ના અર્થ વિશે વાત કરી. તેમણે કહ્યું કે વંદે માતરમનો અર્થ 'સંકલ્પોની પરિપૂર્ણતા' થાય છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'વંદે માતરમ' ગુલામી દરમિયાન ભારતના સ્વતંત્રતા સંકલ્પની ઘોષણા બની ગયું.
PM Modi, Narendra Modi, Vande Mataram, India

Vande Mataram: PM Modi એ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ લાંબી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ 'વંદે માતરમ' ના અર્થ વિશે વાત કરી. તેમણે કહ્યું કે વંદે માતરમનો અર્થ 'સંકલ્પોની પરિપૂર્ણતા' થાય છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'વંદે માતરમ' ગુલામી દરમિયાન ભારતના સ્વતંત્રતા સંકલ્પની ઘોષણા બની ગયું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે એક વખત કહ્યું હતું કે બંકિમચંદ્રનો આનંદ મઠ માત્ર એક નવલકથા નથી પણ એક ગ્રંથ છે. આનંદ મઠમાં વંદે માતરમની દરેક પંક્તિ, બંકિમ બાબુના દરેક શબ્દ અને દરેક ભાવનાના ઊંડા અર્થ હતા અને હજુ પણ છે.

Vande Mataram દરેક યુગ અને સમયગાળામાં સુસંગત છે

તેમણે વધુમાં કહ્યું કે ગુલામીના સમયગાળા દરમિયાન તેના શબ્દો ક્યારેય કેદ કરવામાં આવ્યા ન હતા; તેઓ ગુલામીથી મુક્ત રહ્યા. તેથી, વંદે માતરમ દરેક યુગ અને સમયગાળામાં સુસંગત છે. તેણે અમરત્વ પ્રાપ્ત કર્યું છે. આ હજારો વર્ષોથી ભારતની ઓળખ રહી છે. તેની નદીઓ, પર્વતો, જંગલો, વૃક્ષો અને ફળદ્રુપ જમીન હંમેશા સોનું ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે.

એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કા બહાર પાડ્યાં

રાષ્ટ્રગીત "વંદે માતરમ"ને આજે, શુક્રવારે 150 વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગ નિમિત્તે PM Modi એ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષભર ચાલનારા સ્મારક સમારોહનું ઉદ્ઘાટન કર્યું છે. તેમજ એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કા બહાર પાડ્યાં. તેમણે એક વેબસાઇટ પણ લોન્ચ કરી તથા વંદે માતરમના સામૂહિક ગાયનમાં પણ ભાગ લીધો છે. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કહ્યું, રાષ્ટ્ર ગીત વંદે માતરમ આપણને આત્મવિશ્વાસથી ભરી દે છે. એ ભારત માતાની પૂજા છે.

વિશ્વએ ભારતની સમૃદ્ધિની વાર્તાઓ સાંભળી છે

PM Modi એ કહ્યું, "સદીઓથી, વિશ્વએ ભારતની સમૃદ્ધિની વાર્તાઓ સાંભળી છે. થોડી સદીઓ પહેલા, ભારત વૈશ્વિક GDP ના લગભગ એક ચતુર્થાંશ હિસ્સો ધરાવતો હતો. જ્યારે બંકિમ બાબુએ વંદે માતરમની રચના કરી, ત્યારે ભારત તેના સુવર્ણ યુગથી ઘણું દૂર હતું. વિદેશી આક્રમણકારોના હુમલાઓ, અંગ્રેજોની શોષણકારી નીતિઓ અને ગરીબીના ચુંગાલમાં ફસાયેલ આપણો દેશ હોવા છતાં, બંકિમ બાબુએ સમૃદ્ધ ભારતની હાકલ કરી. કારણ કે તેઓ માનતા હતા કે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, ભારત તેના સુવર્ણ યુગને પુનર્જીવિત કરી શકે છે, અને તેમણે વંદે માતરમની હાકલ કરી."

'સ્વતંત્રતા સંગ્રામનો અવાજ...'

PM modi એ કહ્યું, "આજનો દિવસ આપણને વંદે માતરમની અસાધારણ યાત્રા અને પ્રભાવને સમજવાની તક આપે છે. જ્યારે બંકિમ બાબુએ 1875માં બંગદર્શનમાં વંદે માતરમ પ્રકાશિત કર્યું, ત્યારે કેટલાક લોકો માનતા હતા કે તે ફક્ત એક ગીત છે, પરંતુ તે ઝડપથી સ્વતંત્રતા સંગ્રામનો અવાજ બની ગયો. એક એવો અવાજ જે દરેક ક્રાંતિકારી અને ભારતીયના હોઠ પર હતો." તેમણે વધુમાં કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ્યે જ કોઈ પ્રકરણ એવું હશે જે કોઈને કોઈ રીતે વંદે માતરમ સાથે જોડાયેલ ન હોય. 1896 માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કોલકાતા અધિવેશનમાં વંદે માતરમ ગાયું હતું. 1905માં બંગાળનું વિભાજન થયું હતું. આ સમયગાળા દરમિયાન, વંદે માતરમ બ્રિટિશ યોજનાઓ સામે ખડક બનીને ઊભું રહ્યું. ક્રાંતિકારીઓએ ફાંસી પર ઊભા રહીને વંદે માતરમ ગાયું હતું.

આ પણ વાંચો: Ahmedabad: પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન

Tags :
IndiaNarendra Modipm modiVande Mataram
Next Article