Ahmedabad Rathyatra : 148મી રથયાત્રાને લઈ પોલીસની વિશેષ તૈયારીઓ, ભીડની સમસ્યાને લઈ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાને લઈ પોલીસ પોલીસ પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રામાં ભીડની સમસ્યાને લઈ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જણાવ્યું હતું.
Advertisement
- ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ પોલીસ સજ્જ
- 148મી રથયાત્રાને લઈ પોલીસ પ્રશાસનની વિશેષ તૈયારીઓ
- તૈયારીઓને લઈ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલનું નિવેદન
- ભીડની સમસ્યાને લઈ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે: ACP
- IT ફિલ્ડના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવશે: ACP
- ડ્રોન અને CCTVના દ્રશ્યોથી થર્મલ ઇમેજ મેળવી શકાશે: ACP
અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ પ્રશાસનન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે તેમજ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું. રથયાત્રામાં ભીડમાં કોઈ સમસ્યા ન થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે. આઈટી ફિલ્ટના વિદ્યાર્થીઓની પણ મદદ લેવાશે. તેમજ સીસીટીવી ના બાબતે કોઈ સ્થળ બાકી નહી રહે. તેમજ ડ્રોન અને સીસીટીવી ના વીડિયો સ્ક્રીન પર આવશે. થર્મલ ઈમેજથી કેટલાક શ્રદ્ધાળુઓ હાજર છે તે તપાસ થશે. કોઈ બનાવ બને તો ક્યાંથી બહાર ઉગારી શકાય તેવા પ્રયાસો અને વ્યવસ્થા ગોઠવાશે. સલામતીમાં વધારો કરવા બાબતોમાં ધ્યાન રખાશે. એક્ઝિટ રૂટ અને વ્યવસ્થાની કાળજી રાખશે.

