માઘ મેળાનો નવો લોગો જાહેર, સુર્ય-ચંદ્રથી લઇને અનેક પ્રતીકો સમાવાયા
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા મહાકુંભ મેળાનું આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેની સરાહના વિશ્વભરમાં થઇ છે. ત્યાર બાદ હવે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પ્રયાગરાજમાં માઘ મેળાનું આયોજન કરવા માટે કમર કસી છે. આજે યુપી સરકાર દ્વારા માઘ મેળાનો લોગો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ આધ્યાત્મિક ચિન્હોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2026 ની શરૂઆતમાં આ મેળો યોજાનાર છે. લોગો જાહેર કર્યા બાદ તૈયારીઓએ વેગ પકડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
Advertisement
- ઉત્તરપ્રદેશમાં વધુ એક વખત મોટા આધ્યાત્મિક મેળાનું આયોજન થશે
- માઘ મેળાનો લોગો આજે જાહેર કરવામાં આવ્યો છે
- મહાકુંભ બાદ માઘ મેળો શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે
Prayagraj Magh Mela 2026 : પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ની દિવ્ય ઉજવણી બાદ, ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર હવે માઘ મેળા 2026 ને ઐતિહાસિક સ્પર્શ આપવાની તૈયારી કરી રહી છે. આ પ્રક્રિયાના ભાગ રૂપે, એક સત્તાવાર લોગો બહાર પાડવામાં આવ્યો છે, જે માઘ મેળાની ભાવના, પરંપરા અને આધ્યાત્મિકતાને પ્રતિબિંબિત કરે છે. આ લોગો મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. જાહેર કરાયેલા લોગોમાં માઘ મહિનામાં જપ, ધ્યાન અને કલ્પવાસના મહત્વને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

