Ahmedabad : ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ, સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો પણ પધારશે
- અમદાવાદમાં રથયાત્રાને લઈ જગન્નાથ મંદિર દ્વારા તૈયારીઓ
- રથયાત્રા પૂર્વે નીકળતી જળયાત્રાની કરાઈ તૈયારીઓ
- જગન્નાથ મંદિર દ્વારા નિમંત્રણ પત્રિકાઓ પણ છપાઈ
- સંતો, મહંતો સહિત રાજકીય આગેવાનોને અપાયું આમંત્રણ
Rath Yatra 2025 : અમદાવાદમાં નીકળનાર ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રાને લઈ જગન્નાથ મંદિર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા જગન્નાથ મંદિર દ્વારા જળયાત્રા યોજવામાં આવે છે. જગન્નાથ મંદિર દ્વારા જળયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિર તરફથી નિમંત્રણ પત્રિકાઓ પણ છપાઈ ગઈ છે. તમામ સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
રથયાત્રા પૂર્વે નીકળતી જળયાત્રાની કરાઈ તૈયારીઓ
ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા પૂર્વ જળયાત્રા યોજાશે. પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાશે. મહોત્સવમાં વર્ષોથી 108 કળશ સાથે લઈને ગંગા પૂજન કરવામાં આવે છે. સાબરતમતી નદીના કિનારે ગંગા પૂજન કરવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન કરવામાં આવે છે. ગંગાજીનો આહવાન કરવામાં આવે છે. સાબરમતીથી જળ લાવી અને ભગવાનને અભિષેક સ્નાન કરાવવામાં આવતું હોય છે. મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ થઈ રહી છે. વિશેષમાં સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો પણ પધારશે. તેમજ મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશેશમાં સંતો મહંતો અને રાજકીય મહાનુભાવો પણ પધારશે. એમને પણ આમંત્રણ મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ એએમસી દ્વારા પણ મંદિરની આસપાસની જે કાર્ય એમના લગતી કાર્યવાહી પણ રથયાત્રા રૂટ ઉપર કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરી રહ્યું છે.
આ પણ વાંચો : Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘની આગાહી, જાણો ક્યા થશે ભારે વરસાદ
ધજા પતાકા, 108 કળશ સહિતની થઈ રહી છે તૈયારી
જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીન 148 મી રથયાત્રા પૂર્વે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે.આ મહોત્સવમાં વર્ષોથી પરંપરા રહેલી છે. જેમાં 108 કળશ સાથે લઈને ગંગા પૂજન કરવામાં આવતું હોય છે. સાબરમતી નદીના કિનારે જઈ ગંગા પૂજન કરી ગંગાજીનું આહ્વાન કરી તેમની આજ્ઞા લઈ તેમાં જળ લાવી ભગવાનને જયેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતું હોય છે. આ વર્ષોથી પરંપરા રહેલી છે. જળયાત્રાને લઈ તમામ તૈયારીઓ જેવી કે ધજા પતાકા, 108 કળશ આ તમામ તૈયારીઓ મંદિર પ્રશાસન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ વિશેષમાં સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો પણ પધારશે. તેમને પણ આમંત્રણ મંદિર દ્વારા આપવામાં આવેલ છે.
આ પણ વાંચોઃ Surat : માંગરોળનાં ધામદોડ ગામે Hit and Run માં બે લોકોના મોત, વાહન ચાલક ફરાર