Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપ પર ભાજપે કર્યો પલટવાર, દેશના Gen Zને ભડકાવી રહ્યા છે!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર હરિયાણામાં 25 લાખ મતોની ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમના આ આરોપ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પલટવાર કર્યો. રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા આરોપો લગાવીને જનરલ-ઝેડ (Gen Z) ને ભડકાવી રહ્યા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે રાહુલના દાવાઓ ક્યારેય સાચા પડતા નથી. હાઇડ્રોજન બોમ્બ ક્યારે ફુટતો નથી.
રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપ પર ભાજપે કર્યો પલટવાર  દેશના gen zને ભડકાવી રહ્યા છે
Advertisement

  • ભાજપના કેન્દ્રીય મંત્રી Kiren Rijiju એ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો
  • રાહુલ ગાંધીના દાવાઓ પણ ખોટા સાબિત થાય છે: રિજિજુ
  • રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર લગાવ્યા હતા આરોપ

બુધવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ (EC) પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે ફક્ત હરિયાણામાં જ 25 લાખ મતોની ચોરી થઇ છે. . રાહુલ ગાંધીના આ ગંભીર આરોપોએ દેશભરમાં રાજકીય ખળભળાટ મચાવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલો ઊભા કર્યા હતા.રાહુલના આરોપો બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો.

Advertisement

રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપ પર Kiren Rijiju  એ કર્યો પલટવાર

ભાજપના નેતા કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધી પોતાની ચૂંટણીની હાર અને નિષ્ફળતા છુપાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધીની મજાક ઉડાવતા કહ્યું કે જેમ કોઈ હાઇડ્રોજન બોમ્બ ફૂટતો નથી, તેમ રાહુલ ગાંધીના દાવાઓ પણ ખોટા સાબિત થાય છે. રિજિજુએ આરોપ લગાવ્યો કે ખોટા આક્ષેપો કરીને રાહુલ ગાંધી નવા મતદારો (Gen Z) ને ભડકાવવા માંગે છે. આ ઉપરાંત, રિજિજુએ રાહુલ ગાંધીની ટીકા કરતા એક જૂની વાત યાદ કરી કે એક વખત સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ જે ટી-શર્ટ પહેર્યું હતું તેના પર એક મહિલાનું નામ હતું, અને પછીથી તે મહિલાએ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો હતો.

Advertisement

 Kiren Rijiju  એ રાહુલ ગાંધી પર ઉઠાવ્યા સવાલ

રિજિજુએ રાહુલ ગાંધીની વાતચીતની ટાઇમિંગ પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બિહારમાં મતદાન બે દિવસ દૂર છે, છતાં તેઓ હરિયાણા વિશે વાર્તાઓ સાંભળી રહ્યા છે. આનું કારણ આપતાં તેમણે કહ્યું કે, "બિહારમાં કંઈ બચ્યું નથી, તેઓ હરિયાણા વિશે ખોટી વાર્તાઓ દ્વારા ધ્યાન ભટકાવી રહ્યા છે." કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીના વિદેશી પ્રવાસો અને પ્રેરણાઓ પર કટાક્ષ કરતાં જણાવ્યું કે, "રાહુલ ગાંધી આજે એક વિદેશી મહિલાનું નામ લઈ રહ્યા હતા. તેઓ વિદેશ જતા રહે છે અને ત્યાંથી મળતી પ્રેરણા વિશે જણાવતા રહે છે, પોતાનો સમય બગાડતા રહે છે." તેમણે 2004ની ચૂંટણીનો દાખલો આપતાં કહ્યું કે જ્યારે એક્ઝિટ અને ઓપિનિયન પોલ્સ ભાજપની જીત બતાવતા હતા, છતાં પક્ષ હારી ગયો ત્યારે પણ ભાજપે પરિણામ સ્વીકાર્યું હતું અને પોલ્સનો દુરુપયોગ કર્યો નહોતો.

 Kiren Rijijuએટમ બોમ્બ કેમ ફુટતો નથી?

રિજિજુએ રાહુલ ગાંધીના 'એટમ બોમ્બ'ના નિવેદન પર ફરી પ્રહાર કર્યો અને પૂછ્યું કે તેમનો 'એટમ બોમ્બ' ક્યારેય કેમ ફૂટતો નથી? તેમણે કોંગ્રેસની આંતરિક લડાઈનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "શું તેઓ હરિયાણા ચૂંટણી દરમિયાન કુમારી શેલજાએ જે કહ્યું હતું તે ભૂલી ગયા છે? તેમના પોતાના નેતા રાવ હરિયાણામાં આંતરિક ઝઘડાની ફરિયાદ કરતા રહે છે." તેમણે એવો પણ દાવો કર્યો કે ઘણા કોંગ્રેસના નેતાઓ તેમને કહે છે કે "જ્યાં સુધી રાહુલ ગાંધી અમારા નેતા રહેશે ત્યાં સુધી અમે જીતી શકતા નથી." રિજિજુએ સ્પષ્ટતા કરી કે ચૂંટણી પંચ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપશે, પરંતુ ભાજપ એટલા માટે બોલી રહ્યું છે કારણ કે તેમણે ભાજપ અને તેના નેતાઓ પર સીધા આરોપો લગાવ્યા છે. અંતમાં તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ હંમેશા સખત મહેનત કરે છે, અને આ જ કારણ છે કે તેઓ ચૂંટણી જીતે છે.

આ પણ વાંચો:   હરિયાણા ચૂંટણીમાં 25 લાખ નકલી મતો દ્વારા 'વૉટ ચોરી'નો રાહુલ ગાંધીનો દાવો

Tags :
Advertisement

.

×