AHMEDABAD : પાલીમાં જૈન સાધુનું અકસ્માતમાં મૃત્યુ બાદ મોટી આક્રોશ રેલી યોજાઇ
AHMEDABAD : આ પ્રકારે ટાર્ગેટેડ કિલીંગ રોકવા માટે વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીની સુરક્ષાને લઇને ચોક્કસ પગલાં લેવાની માંગ કરાઇ
Advertisement
- રાજસ્થાનમાં બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા
- અમદાવાદમાં આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
- આ પ્રકારે ટાર્ગેટ કિલીંગ રોકવા સાધુ-સાધ્વીની સુરક્ષા વધારવા માંગ કરાઇ
AHMEDABAD : તાજેતરમાં રાજસ્થાનના પાલી (PALI - RAJASTHAN) માં વિહાર કરતા જૈન સાધ્વીને અજાણ્યા વાહનની ટક્કર (JAIN MONK ACCIDENT CASE) લાગતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ અમદાવાદ (AHMEDABAD) માં આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં પોસ્ટરો થકી સાધુ - સાધ્વીઓ સહિત જૈન સમાજ (JAIN COMMUNITY) ના લોકોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમની લાગણી હતી કે, જૈન સાધુ-સાધ્વીની હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે છે. સાથે જ તમામે એકસૂરે વિહાર કરતા જૈન સાધુ-સાધ્વીની સુરક્ષા માટે પગલાં લેવાની માંગ કરી છે.

