Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot : પ્રવાસે ગયેલા બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબતા કરૂણ મોત, બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

Rajkot : શાળાના શૈક્ષણિક પ્રવાસને લીધે એક પરિવારનું જીવન અંધકારમય બની ગયું છે. નવયુગ સ્કૂલના ધોરણ 8ના 13 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક મુકેશભાઈ બારૈયાનું સાસણ નજીકના 'ધ ગીર ગેટવે રિસોર્ટ'ના સ્વિમિંગ પૂલમાં અચાનક ડૂબી જવાથી અકાળ મોત થયું છે. આ ઘટનાથી પ્રવાસમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકની લહેર ફરી વળી છે, જ્યારે પરિવાર પર તો આફત તૂટી પડી છે.
rajkot   પ્રવાસે ગયેલા બાળકનું સ્વિમિંગ પૂલમાં ડૂબતા કરૂણ મોત  બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
Advertisement
  • Rajkot : સ્કૂલ પ્રવાસમાં દુઃખદ અકસ્માત: 13 વર્ષીય વિદ્યાર્થીનું પૂલમાં ડૂબી જતાં મોત
  • નવયુગ સ્કૂલના હાર્દિકનું સોમનાથ પ્રવાસે અકાળ અંત, શિક્ષકો પર બેદરકારીના આરોપ
  • સાસણ ગીર રિસોર્ટમાં વિદ્યાર્થીનું ડૂબવું : પરિવારનું કુલદીપક ઓલવાયું
  • શાળા ટ્રીપમાં કરુણાંતિકા : હાર્દિક બારૈયાના મોતથી પરિવાર શોકમગ્ન
  • રાજકોટથી સાસણ પ્રવાસે મોત : પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજની માંગ

Rajkot : શાળાના શૈક્ષણિક પ્રવાસને લીધે એક પરિવારનું જીવન અંધકારમય બની ગયું છે. નવયુગ સ્કૂલના ધોરણ 8ના 13 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક મુકેશભાઈ બારૈયાનું સાસણ નજીકના 'ધ ગીર ગેટવે રિસોર્ટ'ના સ્વિમિંગ પૂલમાં અચાનક ડૂબી જવાથી અકાળ મોત થયું છે. આ ઘટનાથી પ્રવાસમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકની લહેર ફરી વળી છે, જ્યારે પરિવાર પર તો આફત તૂટી પડી છે.

રાજકોટના હાથીખાના વિસ્તારમાં સ્થિત નવયુગ સ્કૂલે ધોરણ 5થી 12ના 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને લઈને સોમનાથ, સાસણ અને દેવળિયાના પ્રવાસનું આયોજન કર્યું હતું. 19 ડિસેમ્બરના દિવસે સોમનાથના દર્શન પૂરા કરીને પરત ફરતી વખતે બપોરના 12 વાગ્યા આસપાસ બાળકો સાસણ-તાલાલા રોડ પર આવેલા રિસોર્ટમાં જમવા અને આરામ કરવા માટે અટક્યા હતા.

Advertisement

Advertisement

જમણ પછી સ્વિમિંગ પૂલમાં ન્હાવા દરમિયાન હાર્દિક અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો. રિસોર્ટના કર્મચારીઓ અને શિક્ષકોએ તરત જ તેને બહાર કાઢીને તાલાલા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો પરંતુ ત્યાંના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. ઘટનાની જાણ થતાં જ હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાલાલા તરફ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં પુત્રના મૃતદેહને જોઈને તેઓનું હૃદય ફાટી પડ્યું, અને તેમના આક્રંદથી આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. પિતાએ "દીકરા, ઊઠ તો જો, પપ્પા આવી ગયા" જેવા શબ્દો કહીને સૌના દિલ ચીરી નાંખે તેવી પોકાર કરી હતી. હાર્દિક તેની બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો.

બેદરકારીના આરોપ અને તણાવપૂર્ણ વાતાવરણ

મૃતકના સ્વજનોએ શાળાના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. તેઓનું કહેવું છે કે આટલા વિદ્યાર્થીઓ સાથે હોવા છતાં પૂલ વિસ્તારમાં યોગ્ય દેખરેખ કેમ નહોતી? હોસ્પિટલમાં શિક્ષકોને જોઈને મૃતકના મામાનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેઓ તેમને મારવા તરફ દોડ્યા, પરંતુ પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

તપાસ અને કાર્યવાહીની માંગ

ઘટનાની ગંભીરતા જોતા વિસાવદરના એસીપી રોહિત ડાંગર, તાલાલા મામલતદાર અને પીઆઈ સહિતની ટીમ હોસ્પિટલ પહોંચી ગઈ. પિતાએ પોલીસને વિનંતી કરી કે રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસીને જાણવું જોઈએ કે બાળક કેવી રીતે પૂલમાં પહોંચ્ય અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવામાં આવવાની માગણી કરી છે.

આ પણ વાંચો- Anand : લોકોના જીવ જોખમમાં મૂકતા ઊંટવૈદ્યો સામે એક્શન, LCBએ બે દિવસમાં બે બોગસ તબીબો ઝડપ્યા

Tags :
Advertisement

.

×