Rajkot : સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પર હિચકારો હુમલો, CCTV ફૂટેજ વાઇરલ
- Rajkot સિવિલમાં દર્દીનાં પરિવારની દાદાગીરી!
- સિવિલમાં દર્દીનાં પરિવારનો તબીબ પર હુમલો
- ન્યુરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા પર હુમલો
- દર્દીનાં પરિવારે બેરહેમીથી તબીબને માર્યો માર
- તબીબને માર મારતા CCTV ફૂટેજ આવ્યા સામે
Rajkot : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં પરિવાર દ્વારા દાદાગીરી કરી તબીબ પર હુમલો કરાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે દર્દીનાં પરિવારે ન્યુરોસર્જન વિભાગના (Neurosurgery Department) ડૉક્ટર પર હુમલો કરી બેરહેમીથી માર માર્યો હતો. તબીબને માર મારતા શખ્સના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવ બાદ સિવિલમાં ડોક્ટર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલનાં (Civil Hospital) તબીબોએ વિરોધ પ્રદર્શન કરી આ મામલે યોગ્ય અને ઝડપી કાયદાકીય કાર્યવાહીની માગ કરી છે.
આ પણ વાંચો - '...જૂતાનો હાર પહેરાવી મેથીપાક ચખાડાશે', MLA કિરીટ પટેલ કેમ રોષે ભરાયા?
Rajkot Civil નાં ન્યૂરોસર્જન વિભાગનાં ડોક્ટરને દર્દીનાં પરિવારે માર માર્યો!
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી (Rajkot Civil Hospital) હચમચાવે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીનાં પરિવાર દ્વારા એક તબીબને ઢોર માર મારવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા જ્યારે ફરજ પર હતા ત્યારે એક દર્દીનાં પરિવારના શખ્સ દ્વારા ડોક્ટર સાથે કોઈ બાબતે બોલાચાલી કરી તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ડોક્ટરને બેહરેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
Rajkot : રાજકોટ સિવિલમાં દર્દીના પરિવારની દાદાગીરી!
સિવિલમાં દર્દીના પરિવારનો તબીબ પર હુમલો
ન્યૂરોસર્જન વિભાગના ડૉ. પાર્થ પંડ્યા પર હુમલો
દર્દીના પરિવારે બેરહેમીથી તબીબને માર્યો માર
તબીબને માર મારતા CCTV ફૂટેજ આવ્યા સામે
તબીબ પર થયેલા બેરહેમ હુમલા બાદ ભારે રોષ
રાજકોટ સિવિલના… pic.twitter.com/hcL16lOXWn— Gujarat First (@GujaratFirst) December 29, 2025
આ પણ વાંચો - Politics: 'કોંગ્રેસમાં જૂથવાદ છે એ કોલસાને કાળો કહેવા જેવી વાત'
સિવિલ ડોક્ટર્સ, સ્ટાફમાં ભારો રોષ, કાયદાકીય કાર્યવાહીની માગ
આ મામલે હવે સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) તબીબો અને મેડિકલ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિવિલ ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આજે મીડિયાનાં માધ્યમથી રજૂઆત કરવામાં આવી છે કે તબીબને માર મારનારા શખ્સ સામે ઝડપી અને સખત કાયદાકીય કાર્યવાહી થાય અને એવી દાખલારૂપ સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ફરીવાર ના બને. આ સાથે જો આ મામલાને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફ દ્વારા હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો - શું માનવીય ભૂલથી થતાં Train Accidents ભૂતકાળ બની જશે? બાજવા-અમદાવાદ રૂટ વચ્ચે આ સિસ્ટમનો પ્રારંભ!


