Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : Sambhal માં હિંસામાં બે લોકોના મોત, બદમાશોએ ઘરો પર પથ્થરમારો કર્યો... Video

UP ના સંભલમાં પથ્થરમારો હિંસામાં બે લોકોના મોત સંભલ SP એ આપી જાણકારી ઉત્તર પ્રદેશ (UP)ના સંભલ (Sambhal)માં જામા મસ્જિદ સર્વેના વિરોધમાં ફાટી નીકળેલી હિંસામાં બે લોકોના મોત થયા છે. સંભલ (Sambhal) એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે...
up   sambhal માં હિંસામાં બે લોકોના મોત  બદમાશોએ ઘરો પર પથ્થરમારો કર્યો    video
Advertisement
  1. UP ના સંભલમાં પથ્થરમારો
  2. હિંસામાં બે લોકોના મોત
  3. સંભલ SP એ આપી જાણકારી

ઉત્તર પ્રદેશ (UP)ના સંભલ (Sambhal)માં જામા મસ્જિદ સર્વેના વિરોધમાં ફાટી નીકળેલી હિંસામાં બે લોકોના મોત થયા છે. સંભલ (Sambhal) એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, પ્રદર્શન દરમિયાન બે યુવકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે, સંભલ (Sambhal)માં ત્યારે હિંસા ફાટી નીકળી જ્યારે સ્થાનિક લોકોએ કોર્ટના આદેશ પર સર્વે માટે પહોંચેલી ટીમનો વિરોધ કર્યો. સ્થાનિક લોકોએ પોલીસ અને સર્વે ટીમને ઘેરી લીધી અને પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસે હળવો બળપ્રયોગ કર્યો, પરંતુ થોડી જ વારમાં હજારો લોકો ત્યાં એકઠા થઈ ગયા અને વિરોધ હિંસક બની ગયો.

દરમિયાન ડિવિઝનલ કમિશનર અનંજય કુમાર સિંઘે જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ આજે સવારે 7 થી 11 વાગ્યા સુધી સર્વે કરવાનો હતો. સર્વે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો, તે દરમિયાન કેટલાક લોકો જામા મસ્જિદની બહાર એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ત્યાં પૂરતી પોલીસ સુરક્ષા હાજર હતી, જો કે થોડીવાર પછી તેઓએ પથ્થરમારો શરૂ કરી દીધો. તેમણે કહ્યું કે, આમાં કોણ સામેલ છે તેની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અમારા સૈનિકો પણ ઘાયલ થયા છે. પોલીસે બળપ્રયોગ કરીને ભીડને વિખેરી નાખી હતી. સર્વેની ટીમ પોતાની કામગીરી પૂરી કરીને રવાના થઈ ગઈ છે. હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે અને બધુ બરાબર ચાલી રહ્યું છે.

Advertisement

લોકોએ ઘરો પર પણ પથ્થરમારો કર્યો હતો...

સંભલ (Sambhal)માં પથ્થરમારો દરમિયાન બદમાશોએ ઘણા ઘરોને પણ નિશાન બનાવ્યા હતા. આવી તસવીરો સામે આવી છે જેમાં ઘરોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. એક વીડિયોમાં એક ઘરની અંદર બારીના કાચ તૂટેલા જોવા મળ્યા હતા, જ્યારે સામાન પણ વેરવિખેર હતો. તોફાનીઓએ અનેક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.

Advertisement

આ પણ વાંચો : Maharashtra Election : અમરાવતીમાં Navneet Rana નો અદભૂત ડાન્સ, Video Viral

અખિલેશ યાદવનો ગંભીર આરોપ...

ઘટનાને લઈને અખિલેશ યાદવે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, 'સંભલ (Sambhal)માં આજે એક ગંભીર ઘટના બની છે. સર્વે થઈ ગયો હતો પરંતુ પેટાચૂંટણી અંગે કોઈ ચર્ચા ન થઈ શકે તે માટે જાણી જોઈને સવારે સર્વે ટીમ મોકલી દેવામાં આવી હતી. વાતાવરણ બગાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. ઘણા લોકો ઘાયલ થયા છે અને મોતના સમાચાર પણ છે. છેવટે, જ્યારે મસ્જિદનો સર્વે થઈ ચૂક્યો હતો, તો પછી બીજા સર્વેની જરૂર કેમ પડી? બીજા પક્ષ માટે કોઈ સુનાવણી જ નતી. સરકાર અને વહીવટીતંત્રે જાણી જોઈને આવું કર્યું છે. જેથી ચૂંટણી અંગે કોઈ ચર્ચા ન થઈ શકે.'

આ પણ વાંચો : Madhya Pradesh બાદ જાણો Maharashtra માં કઈ જોડીએ ભાજપને અપાવી મોટી જીત?

મામલો શું છે...

હકીકતમાં, હિંદુ પક્ષે કોર્ટમાં જામા મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કર્યા પછી, કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. 19 નવેમ્બરની રાત્રે મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે કરવા માટે ટીમ રવિવારે ફરીથી મસ્જિદ પહોંચી હતી. આ સર્વે માટે મસ્જિદ કમિટીએ પણ પોતાની સંમતિ આપી દીધી છે અને બંને પક્ષકારોની હાજરીમાં મસ્જિદનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : 'પીઠ પર છરો...', Rajasthan પેટાચૂંટણીમાં BJP ની જીત પર વસુંધરા રાજેનું પહેલું નિવેદન

Tags :
Advertisement

.

×