ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સેવન્થ ડેના પ્રિન્સિપાલના પુત્ર ઈમેન્યુઅલનો મેસેજ થયો વાયરલ; કર્યો ચોંકાવનારો દાવો

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: પ્રિન્સિપાલના પુત્રનો વાયરલ મેસેજ, ખ્રિસ્તી સંગઠનોને હસ્તક્ષેપની માંગ
09:13 PM Aug 24, 2025 IST | Mujahid Tunvar
સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: પ્રિન્સિપાલના પુત્રનો વાયરલ મેસેજ, ખ્રિસ્તી સંગઠનોને હસ્તક્ષેપની માંગ

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા બાદ શાળા સામે ઉગ્ર વિરોધ ચાલુ છે. આ ઘટનામાં શાળાના પ્રિન્સિપાલ ડૉ. જી. ઈમેન્યુઅલના પુત્રનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મેસેજ ચર્ચામાં છે, જેમાં તેમણે આ વિરોધને ખ્રિસ્તી માઇનોરિટી સંસ્થા સામેનું કાવતરું ગણાવ્યું છે. આ મેસેજમાં ખ્રિસ્તી સંગઠનો અને કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે.

19 ઓગસ્ટે સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણીને ધોરણ 8ના એક વિદ્યાર્થીએ નાની બોલાચાલી બાદ છરી મારી હતી. નયનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ 20 ઓગસ્ટે તેનું મૃત્યુ થયું. આ ઘટનાએ સ્થાનિક સિંધી સમુદાય, વાલીઓ અને અન્ય સંગઠનોમાં ભારે રોષ ફેલાવ્યો હતો. બુધવારે (20 ઓગસ્ટ) સેવન્થ ડે સ્કૂલના પરિસરમાં લગભગ 2000 લોકોની ભીડે તોડફોડ કરીને શાળાના સ્ટાફ પર હુમલો કર્યો અને બસો, વાહનો તેમજ સ્માર્ટ ટીવી, CCTV કેમેરા જેવી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. આ તોડફોડમાં રૂ. 15 લાખનું નુકસાન થયાનો અંદાજ છે.

પ્રિન્સિપાલના પુત્રનો વાયરલ મેસેજ

સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. જી. ઈમેન્યુઅલ જેઓ કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)ના પ્રમુખ પણ છે, તેમના પુત્રનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મેસેજમાં તેમણે દાવો કર્યો છે કે શાળા સામેનો વિરોધ એ ખ્રિસ્તી માઇનોરિટી સંસ્થા વિરુદ્ધનું ષડયંત્ર છે. તેમણે ખ્રિસ્તી સંગઠનો અને કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. આ મેસેજે ઘટનાને સામ્પ્રદાયિક રંગ આપ્યો છે, કારણ કે પીડિત નયન સિંધી સમુદાયનો હતો, જ્યારે આરોપી એક લઘુમતી સમુદાયનો છે.

શાળા અને પોલીસની બેદરકારીનો આરોપ

પીડિતના પરિવાર અને વાલીઓએ શાળા સંચાલન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે શાળાએ નયનને તાત્કાલિક એમ્બ્યુલન્સ ન બોલાવી અને 30 મિનિટ સુધી રક્તસ્ત્રાવ થવા દીધો. એટલું જ નહીં શાળાએ પુરાવા નષ્ટ કરવા માટે બ્લડસ્ટેન્સ ધોવા માટે વોટર ટેન્કર બોલાવ્યું હોવાનો આરોપ પણ લાગ્યો છે.

આ ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું છે કે નયન અને આરોપી વચ્ચે અગાઉથી જ ઝઘડા ચાલતા હતા. શાળાએ આ મામલે કોઈ નક્કર પગલાં લીધા ન હતા. શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ગયા અઠવાડિયે ઝઘડો થયો હતો, જેમાં શિક્ષકોએ તેમને ગળે મળીને માફી માંગવાનું કહ્યું હતું, પરંતુ વાલીઓને જાણ કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો- સરદારધામના મંચ પરથી ગગજીભાઈ સુતરિયાનો સ્વદેશી હુંકાર : વિદેશી પેન અને ₹1.5 કરોડની ગાડીનો ત્યાગ, ‘TTT’ ફોર્મ્યૂલા સાથે દેશને આહ્વાન

Tags :
#ChristianMinority#NayanSantani#SeventhDaySchoolAhmedabadNewsgujaratnewsProtest
Next Article