ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. શકીલ અહેમદે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

બિહાર ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. શકીલ અહેમદે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે અને પત્ર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો છે. બિહારની રાજનીતિમાં મોટો પ્રભાવ ધરાવતા અને યુપીએ સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી રહી ચૂકેલા શકીલ અહેમદનું આ પગલું પક્ષની આંતરિક સ્થિતિ અને નેતૃત્વ પર સવાલો ઉભા કરે છે.
07:20 PM Nov 11, 2025 IST | Mustak Malek
બિહાર ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. શકીલ અહેમદે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે અને પત્ર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો છે. બિહારની રાજનીતિમાં મોટો પ્રભાવ ધરાવતા અને યુપીએ સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી રહી ચૂકેલા શકીલ અહેમદનું આ પગલું પક્ષની આંતરિક સ્થિતિ અને નેતૃત્વ પર સવાલો ઉભા કરે છે.
Shakeel Ahmad

બિહાર ચૂંટણી સમાપન બાદ કોંગ્રેસને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પક્ષના અગ્રણી અને વરિષ્ઠ નેતા  ડૉ. શકીલ અહેમદે (Shakeel Ahmad) કોંગ્રેસની (Congress) પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ને મોકલી આપ્યું છે.

બિહારમાં Shakeel Ahmad એ રાજીનામું આપ્યું

નોંધનીય છે કે ડૉ. શકીલ અહેમદ કોંગ્રેસના એક પીઢ મુસ્લિમ ચહેરા અને મજબૂત વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે, ખાસ કરીને બિહારની રાજનીતિમાં તેમનો એક વિશાળ કદ છે. તેઓ ભૂતકાળમાં કેન્દ્રની યુપીએ (UPA) સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી સહિતના મહત્વના પદ પર રહી ચૂક્યા છે. તેઓ બે વખત લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ બિહાર વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પણ છે. તેમનું રાજીનામું કોંગ્રેસ માટે એક મોટો ફટકો છે, ખાસ કરીને જ્યારે પક્ષ આવનારી ચૂંટણીઓ માટે તૈયારી કરી રહ્યો છે.

Shakeel Ahmad એ પ્રાથમિક સભ્યપદમાંથી આપ્યું રાજીનામું

ડૉ. શકીલ અહેમદના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સ્પષ્ટ થયા નથી. જોકે, રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પક્ષની આંતરિક નીતિઓ અને નેતૃત્વની શૈલીથી નારાજ હતા. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે બિહારમાં ગઠબંધન અને સીટની વહેંચણીને લઈને ચાલી રહેલા સંઘર્ષના કારણે તેમણે આ પગલું ભર્યું હોઈ શકે છે. તેમનું રાજીનામું બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જી શકે છે.કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર રીતે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ રાજીનામું પક્ષની નેતૃત્વ ક્ષમતા અને આંતરિક સ્થિતિ પર સવાલો ઉભા કરે છે. આગામી દિવસોમાં ડૉ. શકીલ અહેમદ કયા પક્ષમાં જોડાશે અથવા તેમનો આગામી રાજકીય માર્ગ શું હશે, તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો:   દિલ્હી હાઇકોર્ટે બાબા રામદેવને આપ્યો ઝટકો, પતંજલિએ અન્ય બ્રાન્ડને 'ધોખા' કહેતી એડ પર તાત્કાલિક રોક

Tags :
Bihar ElectionBihar politicsCongressCongress CrisisGujarat FirstMallikarjun khargepolitical newsResignationShakeel AhmadUPA
Next Article