ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પૂર્વ PM શેખ હસીનાના પ્રત્યાર્પણ મામલે ભારત પર દબાણ લાવવા માટે બાંગ્લાદેશ ઇન્ટરપોલની મદદ લેશે

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલે પદભ્રષ્ટ PM શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. 5 ઓગસ્ટ, 2024 થી ભારતમાં આશ્રય લઈ રહેલા હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશનું દબાણ વધ્યું છે. ભારતે કોઈ સીધો જવાબ ન આપતા, બાંગ્લાદેશ હવે હસીનાનું પ્રત્યાર્પણ સુનિશ્ચિત કરવા માટે ઇન્ટરપોલની મદદ લેવાની તૈયારી કરી રહ્યું છે. શેખ હસીનાના પુત્ર સજીદ વાઝેબે આજે પીએમ મોદીનો પોતાની માતાને બચાવવા મામલે ખાસ આભાર માન્યો હતો.
10:15 PM Nov 19, 2025 IST | Mustak Malek
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલે પદભ્રષ્ટ PM શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. 5 ઓગસ્ટ, 2024 થી ભારતમાં આશ્રય લઈ રહેલા હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશનું દબાણ વધ્યું છે. ભારતે કોઈ સીધો જવાબ ન આપતા, બાંગ્લાદેશ હવે હસીનાનું પ્રત્યાર્પણ સુનિશ્ચિત કરવા માટે ઇન્ટરપોલની મદદ લેવાની તૈયારી કરી રહ્યું છે. શેખ હસીનાના પુત્ર સજીદ વાઝેબે આજે પીએમ મોદીનો પોતાની માતાને બચાવવા મામલે ખાસ આભાર માન્યો હતો.
Sheikh Hasina Extradition

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલ (ICT) એ તાજેતરમાં પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના (Sheikh Hasina) અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અસદુઝમાન ખાન કમાલને મૃત્યુદંડની સજા ફટકારી છે. આ સજા ગયા વર્ષના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા 'માનવતા વિરુદ્ધના ગુનાઓ' માટે આપવામાં આવી છે. ગયા વર્ષે હિંસક બળવા બાદ શેખ હસીના 5 ઓગસ્ટ, 2024 ના રોજ ભારત ભાગી ગયા હતા અને ત્યારથી નવી દિલ્હીમાં આશ્રય લઈ રહ્યા છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની કાર્યકારી સરકારે અગાઉ જ ભારત પાસે હસીનાના પ્રત્યાર્પણની(Sheikh Hasina Extradition)વિનંતી કરી હતી. આ કેસ અનુસંધાનમાં બાંગ્લાદેશ ઇન્ટરપોલની (interpol) મદદ લેશે.

Sheikh Hasina Extradition   ઇન્ટરપોલની મદદ લેવાની તૈયારી અને ઢાકાનો દાવો

ICT ના નિર્ણય પછી, યુનુસ સરકારે ફરી એકવાર ભારત પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરી છે, પરંતુ ભારતે હજી કોઈ સકારાત્મક જવાબ આપ્યો નથી. આ સ્થિતિમાં, બાંગ્લાદેશ સરકાર હવે હસીના અને પૂર્વ ગૃહ પ્રધાનનું ભારતમાંથી પ્રત્યાર્પણ સુનિશ્ચિત કરવા માટે ઇન્ટરપોલની મદદ લેવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય આગામી દિવસોમાં નવી દિલ્હીને પ્રત્યાર્પણ માટેનો નવો પત્ર મોકલે તેવી અપેક્ષા છે, જેમાં ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ કરારનો ઉલ્લેખ કરવામાં આવશે. બાંગ્લાદેશનું કહેવું છે કે હસીનાને પરત કરવાની જવાબદારી ભારતની "અનિવાર્ય જવાબદારી" છે અને આવા દોષિત વ્યક્તિને આશ્રય આપવો તે "ન્યાયનું અપમાન" ગણાશે.

Sheikh Hasina Extradition: પ્રત્યાર્પણ પર ભારતનું વલણ અને કાયદાકીય છૂટછાટ

આ મામલે ભારતે હસીનાની પ્રત્યાર્પણ વિનંતી પર કોઈ સીધી ટિપ્પણી કરી નથી. જોકે, વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, "એક નજીકના પાડોશી તરીકે, ભારત બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત માટે પ્રતિબદ્ધ છે, જેમાં તે દેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશકતા અને સ્થિરતાનો સમાવેશ થાય છે." રોઇટર્સના અહેવાલમાં ટાંકવામાં આવેલા ભારતીય સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે પ્રત્યાર્પણ એ એક લાંબી પ્રક્રિયા છે, જેમાં ટ્રિબ્યુનલના દસ્તાવેજોની સંપૂર્ણ સમીક્ષા કરવી જરૂરી છે. અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કેસ 'રાજકીય' પ્રકૃતિનો લાગે તો પ્રત્યાર્પણ સંધિમાંથી મુક્તિ લાગુ પડે છે, જેના કારણે ભારત આ રેકોર્ડ વિના કોઈ કાર્યવાહી કરી શકશે નહીં.

આ પણ વાંચો:  PoJKના પૂર્વ PM એ કરી મોટી કબૂલાત,'ભારતમાં લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી આતંકી હુમલા કર્યા'

Tags :
Bangladeshdeath sentenceExtraditionforeign policyGujarat FirstICTIndiaInterpolMohammed YunusPolitical AsylumSheikh HasinaSheikh Hasina extradition
Next Article