Sheikh Hasina ગુમાવશે સત્તા... આ ભારતીય જ્યોતિષીએ પહેલેથી જ આપી હતી ચેતવણી
બાંગ્લાદેશમાં તખ્તાપલટની આ જ્યોતિષી આપી હતી જાણકારી ભારતીય જ્યોતિષીએ આપી શેખ હસીના વિશે ચેતવણી હાલમાં શેખ હસીના બાંગ્લાદેશ છોડી ભારત આવી બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના (Sheikh Hasina)ના પતન અંગે પ્રખ્યાત જ્યોતિષ પ્રશાંત કિનીની ભવિષ્યવાણી સોમવારે સાચી પડી. 15...
Advertisement
- બાંગ્લાદેશમાં તખ્તાપલટની આ જ્યોતિષી આપી હતી જાણકારી
- ભારતીય જ્યોતિષીએ આપી શેખ હસીના વિશે ચેતવણી
- હાલમાં શેખ હસીના બાંગ્લાદેશ છોડી ભારત આવી
બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના (Sheikh Hasina)ના પતન અંગે પ્રખ્યાત જ્યોતિષ પ્રશાંત કિનીની ભવિષ્યવાણી સોમવારે સાચી પડી. 15 વર્ષ સુધી દેશ પર શાસન કર્યા બાદ શેખ હસીના (Sheikh Hasina)એ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ડિસેમ્બર 2023 માં, જ્યોતિષી કિનીએ શેખ હસીના (Sheikh Hasina)ને મે અને ઓગસ્ટ 2024 વચ્ચે "સાવધ" રહેવા ચેતવણી આપી હતી, જે સંભવિત "હત્યાના પ્રયાસો" સૂચવે છે. તેમની વાત સાચી પડી અને હસીના હવે સત્તામાં નથી અને દેશ છોડીને ભાગી ગઈ છે. સોમવારે બાંગ્લાદેશમાં હંગામો અને હિંસાના દ્રશ્યો વચ્ચે, જ્યોતિષ કિનીની ગયા વર્ષની ટ્વીટ ફરી સામે આવી છે. કિનીએ સોમવારે ટ્વિટર પર લખ્યું, "મેં પહેલેથી જ આગાહી કરી દીધી છે કે ઓગસ્ટ 2024 માં શેખ હસીના (Sheikh Hasina) મુશ્કેલીમાં આવશે."

