Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surendranagar land scam case: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં હવે તપાસ માટે SIT ની રચના

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં મોટા સમાચાર આવ્યા છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરાઈ છે. અધિક નિયામકની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. SIT માં ACB ના 5 અધિકારીઓનો સમાવેશ કરાયો છે. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકમાં કૌભાંડનો કેસ નોંધાયો હતો. તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે ગુનો નોંધાયો છે. તમામની સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાયો છે.
surendranagar land scam case  સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં હવે તપાસ માટે sit ની રચના
Advertisement
  1. Surendranagar land scam case માં મોટા સમાચાર
  2. સમગ્ર કૌભાંડની હવે તપાસ માટે SIT ની રચના કરવામાં આવી
  3. અધિક નિયામકની અધ્યક્ષતામાં SIT ની ટીમ કરશે તપાસ
  4. SIT માં ACBના 5 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો
  5. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકમાં કૌભાંડનો કેસ નોંધાયો છે

Surendranagar : સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં (Surendranagar land scam case) સૌથી મોટા સમાચાર આવ્યા છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે SIT ની રચના કરાઈ છે. અધિક નિયામકની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. SIT માં ACB ના 5 અધિકારીઓનો સમાવેશ કરાયો છે. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકમાં કૌભાંડનો કેસ નોંધાયો હતો. તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ (Collector Rajendra Patel) સહિત 4 સામે ગુનો નોંધાયો છે. તમામની સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો - Bhavnagar: મહુવા Dy.SP રીમા ઝાલાને હટાવ્યા, તળાજા Dy.SP નકુમને સોંપાયો ચાર્જ

Advertisement

Advertisement

Surendranagar land scam case માં હવે તપાસ માટે SIT ની રચના

સુરેન્દ્રનગરમાં રૂ. 1500 કરોડનાં મસમોટા જમીન કૌભાંડ કેસમાં (Surendranagar land scam case) વધુ તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. અધિક નિયામકની અધ્યક્ષતામાં SIT તપાસ કરશે. ગુજરાત ACB કચેરીનાં નિયામક દ્વારા સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે અપ્રમાણસર મિલકત અંગે નોંધાયેલ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (S.I.T.) ની રચના કરવામાં આવી છે. SIT ટીમમાં અલગ-અલગ ACB કચેરીનાં 05 અધિકારીઓ સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરશે. જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરનાં પીએ જયરાજસિંહ ઝાલા અને કલાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો - Somnath Swabhiman Parv : PM મોદી બાદ CM ભૂપેન્દ્રભાઈ પટેલની સોમનાથ મંદિરને લઈ ખાસ પોસ્ટ, કરી આ જાહેરાત!

આ કેસમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા

ગઈકાલે આ કેસમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ED ની ધરપકડ બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે પૂર્વ કલેક્ટરના પી.એ જયરાજસિંહ ઝાલાની (Jayrajsinh Zala) મૂળી ખાતે બદલી કરાઈ હતી. ક્લાર્ક મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી હતી. પી.એ.ને લાંચના 05 ટકા રકમ પહોંચતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. કલાર્કને પણ અમુક ટકા રકમ પહોંચતી હોવાનાં અહેવાલ આવ્યા હતા. જો કે, હવે આ મામલે SIT ની તપાસમાં વધુ નવા અને ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - Rajkot: વડાપ્રધાનના આગમનને લઈ નાયબ મુખ્યમંત્રીની હાઈ લેવલ બેઠક, વાંચો શું થઈ ચર્ચા?

Tags :
Advertisement

.

×