Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Somnath: અડીખમ સ્વાભિમાન! શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી ભવ્ય રવેડી યોજાઈ

Somnath: સોમનાથમાં 1026ના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા 'સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રથમ વખત યોજાયેલી સાધુ-સંતોની રવેડી અને મહિલાઓના ભજન-કીર્તનથી પ્રભાસ તીર્થ કૈલાસધામ બન્યું છે. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દર્શન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની પુષ્ટિ કરી છે. આ પર્વ સોમનાથની અજેય આસ્થા અને અડીખમ સંસ્કૃતિનું પ્રતીક છે.
somnath  અડીખમ સ્વાભિમાન  શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી ભવ્ય રવેડી યોજાઈ
Advertisement
  • Somnath: સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ-સંતોની રવેડી
  • સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે રવેડીનું આયોજન
  • સોમનાથના પટાંગણમાં ઉમટી પડ્યા સાધુ-સંતો
  • કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સોમનાથ દાદાના કર્યા દર્શન

Somnath Swabhiman Parv: ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. વર્ષ 1026 માં મહમદ ગઝનવી દ્વારા કરવામાં આવેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ એક સહસ્ત્રાબ્દીના સંઘર્ષ અને વિજયને યાદ કરવા માટે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના બીજા દિવસે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત સાધુ-સંતોની ભવ્ય રવેડી (શોભાયાત્રા) યોજાઈ હતી, જેણે સમગ્ર પ્રભાસ તીર્થને કૈલાસ સમાન ભક્તિમય બનાવી દીધું હતું.

સાધુ-સંતોની પ્રથમ ઐતિહાસિક રવેડી

Advertisement

સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ રવેડી સોમનાથના પટાંગણમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. શંખ સર્કલથી શરૂ થઈને હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાયેલી આ રવેડીમાં દેશભરના સાધુ-સંતો ઉમટી પડ્યા હતા. ભગવા વસ્ત્રોમાં સજ્જ સંતો અને હવામાં ગુંજતા શંખનાદ તેમજ 'હર હર મહાદેવ'ના નારાથી વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સંતોએ રવેડી કાઢીને સોમનાથના સ્વાભિમાન અને આસ્થાનો સંદેશ પાઠવ્યો હતો.

Advertisement

1000 વર્ષ પહેલાના ઘા અને આજનું અડીખમ ગૌરવ

સોમનાથ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિની સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છે. ઈ.સ. 1026 માં થયેલા ભયાનક આક્રમણ અને લૂંટફાટ છતાં સોમનાથનું અસ્તિત્વ ભૂંસાયું નથી. આજે પણ આ મંદિર એટલું જ અડીખમ અને તેજસ્વી દેખાય છે. મ્યુઝિયમમાં સંગ્રહિત વિધર્મી આક્રમણના અવશેષો અને 1000 વર્ષ જૂની કલાકૃતિઓ આજે પણ તે સમયની સંઘર્ષગાથા અને કલાની સાક્ષી પૂરે છે. આ ઉજવણી એ જ સાબિત કરે છે કે આક્રમણકારો આવ્યા અને ગયા, પણ શ્રદ્ધા આજે પણ અજરામર છે.

કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિ

આ પર્વમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) એ ખાસ ઉપસ્થિત રહી સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. તેમણે 'ગુજરાત ફર્સ્ટ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, " સોમનાથ મહાદેવ એ આપણી સાંસ્કૃતિક અને શ્રધ્ધાનું પ્રતિક છે. સોમનાથ પર 1 હજાર વર્ષ પહેલા આ મંદિર પર હુમલો થયો હતો. જે પછી અનેકવાર આ શ્રધ્ધાને તોડવાનો પ્રયાસ કર્યો. જો કે હિંદુ જનતાએ મહાદેવને અખંડ રાખ્યા. વર્ષ 1951માં સરદાર સાહેબે તેનો જીણોદ્ધાર કરાવ્યો હતો. વડાપ્રધાને આ શ્રધ્ધા પર્વને ઉજવવાનું નક્કી કર્યું છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સોમનાથ પધારવાના છે અને તેઓ ખાસ પૂજા-અર્ચનામાં સહભાગી થશે." વડાપ્રધાનની મુલાકાતને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ભક્તિમાં લીન મહિલાઓ અને અબાલવૃદ્ધો

માત્ર સંતો જ નહીં, પરંતુ સામાન્ય જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરના મેદાનમાં મહિલાઓ હાથમાં કરતાલ અને ઝાંઝ-તબલા સાથે ભજન-કીર્તનમાં તલ્લીન જોવા મળી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા ગાવામાં આવતા શિવભજનોથી સમગ્ર ગીર સોમનાથ પંથક શિવમય બની ગયો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો આ પર્વમાં જોડાઈને સોમનાથના ગૌરવને વધારી રહ્યા છે.

Somnath Swabhiman Parv:  વડાપ્રધાનનો સોમનાથ પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથની વિશેષ મુલાકાતે છે. આ મુલાકાત ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. 10 જાન્યુઆરીની સાંજે વડાપ્રધાન સોમનાથ પહોંચશે. રાત્રે 8 વાગ્યે તેઓ સોમનાથ મંદિરમાં 'ઓમકાર મંત્ર' ના જાપના કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યારબાદ દરિયાકિનારે આયોજિત ભવ્ય ડ્રોન શો નિહાળશે. 11 જાન્યુઆરીની સવારે 9:45 કલાકે વડાપ્રધાન 'શૌર્ય યાત્રા' (રોડ શો) માં સામેલ થશે. આ યાત્રામાં ગુજરાત પોલીસના અશ્વદળના 108 અશ્વો અને પરંપરાગત વેશભૂષામાં કલાકારો ભાગ લેશે. સવારે 10:15 કલાકે વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરશે. સવારે 11 વાગ્યે સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભાને સંબોધશે.

આ પણ વાંચોઃ Studio On Wheels: અંબાજીનો કાયાકલ્પ! ગબ્બર સુધી બની રહ્યો છે 'શક્તિ કૉરિડોર', ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

Tags :
Advertisement

.

×