Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Assembly Elections પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું વિશેષ નિવેદન

Bihar Assembly Elections 2025ના પરિણામો જાહેર થતાં રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. એનડીએ ગઠબંધને મોટી જીત મળી રહી છે, જેમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. આ પરિણામ પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની વિકાસની રાજનીતિને મજબૂત આધાર આપ્યો છે. હર્ષભાઈ સંઘવીએ કહ્યું, "ભાજપ અને એનડીએ સૌથી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. બિહારમાં એનડીએની લહેર જોવા મળી રહી છે
bihar assembly elections પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું વિશેષ નિવેદન
Advertisement
  • Bihar Assembly Elections : બિહારમાં NDAની ઐતિહાસિક જીત, હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન
  • મોદી પર વિશ્વાસ, દેશભરમાં ગુંજે છે મોદી મોદી : હર્ષભાઈ
  • વિકાસની રાજનીતિને નવી દિશા : બિહાર પરિણામ પર હર્ષભાઈ સંઘવી
  • ભાજપ સૌથી મોટો પક્ષ, મહાગઠબંધનનો સફાયો : હર્ષભાઈ સંઘવી
  • બિહાર જીતથી મોદીની લહેર અટકી નહીં : ગુજરાત નાયબ મુખ્યમંત્રી

Bihar Assembly Elections : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો જાહેર થતાં રાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. એનડીએ ગઠબંધને મોટી જીત મળી રહી છે, જેમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. આ પરિણામ પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ હેઠળની વિકાસની રાજનીતિને મજબૂત આધાર આપ્યો છે.

હર્ષભાઈ સંઘવીએ કહ્યું, "ભાજપ અને એનડીએ સૌથી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. બિહારમાં એનડીએની લહેર જોવા મળી રહી છે, જેમાં મહાગઠબંધનનો સફાયો થઈ ગયો છે. મહાગઠબંધન 243માંથી 40 કરતાં ઓછી બેઠકો જીતી શકશે, જ્યારે ભાજપ 91 બેઠકો અને જેડીયુ 82 બેઠકો તરફ આગળ છે. આ ઇતિહાસમાં પહેલી વખત છે જ્યારે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે."

Advertisement

Advertisement

આગળ વાતાવરણમાં તેમણે કહ્યું કે, "આ જીત વિકાસની રાજનીતિને નવી દિશા આપે છે. વડાપ્રધાન મોદીની નેતૃત્વ હેઠળ બિહાર જેવા વિસ્તારોમાં વિકાસના કાર્યોને વેગ મળશે. દેશના દરેક ખૂણે 'મોદી મોદી'ના નારા ગુંજી રહ્યા છે, જે દર્શાવે છે કે સૌને મોદી પર વિશ્વાસ છે. આ ચૂંટણી પરિણામ એ નિશ્ચિત કરે છે કે લોકો વિકાસ અને સ્થિરતાને પ્રાધાન્ય આપે છે."

બિહારમાં ભાજપની આ ઐતિહાસિક જીતથી નીતિશ કુમારના બાર્ગેનિંગ પાવર પર પ્રશ્નો ઉભા થયા છે. એનડીએએ ચૂંટણી દરમિયાન નીતિશ કુમાર અને મોદીના ચહેરા પર લડી હતી, પરંતુ હવે ભાજપની મજબૂત સ્થિતિને કારણે મુખ્યમંત્રી પદ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. હર્ષભાઈના નિવેદનથી ગુજરાતમાં પણ ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે, જે દેશવ્યાપી એકતા અને વિકાસના વિઝનને મજબૂત કરે છે.

આ પણ વાંચો-નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં PM Modi ના આગમન પહેલાં ઉત્સાહનો માહોલ

Tags :
Advertisement

.

×