ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TamilNadu : અભિનેતા Vijay ની રેલીમાં ભાગદોડ : બાળકો સહિત 29 લોકોના મોત

તમિલનાડુમાં અભિનેતા Vijay ની રેલીમાં ભાગદોડમાં બાળકો સહિત 29 લોકોના મોત થતાં હડકંપ મચ્યો છે
09:22 PM Sep 27, 2025 IST | Mujahid Tunvar
તમિલનાડુમાં અભિનેતા Vijay ની રેલીમાં ભાગદોડમાં બાળકો સહિત 29 લોકોના મોત થતાં હડકંપ મચ્યો છે

તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની ( Vijay ) રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી. તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ.એ. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે અકસ્માતમાં 29 લોકોના મોત થયા છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

ટીવીકે (તમિલાગા વેટ્ટી કઝગમ- TVK)ના વડા અને અભિનેતા વિજયની રેલી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડ એટલી બધી વધી ગઈ હતી કે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. અભિનેતામાંથી રાજકારણી બનેલા ભીડને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો બેહોશ થઈ ગયા હતા, જેના કારણે તેમને તેમનું ભાષણ અટકાવવા અને રેલી છોડીને જવાની ફરજ પડી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ એટલી મોટી થઈ ગઈ હતી કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અચાનક ત્યાં હાજર લોકો અને કાર્યકરો બેહોશ થવા લાગ્યા હતા. અભિનેતા વિજયે પોતાનું ભાષણ બંધ કર્યું અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે પોતાના પક્ષના કાર્યકરોને જરૂરિયાતમંદોને મદદ કરવા અને તેમને એમ્બ્યુલન્સમાં લઈ જવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો- Bharuch : નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાં 3 કરોડનું કૌભાંડ, 17 ડિરેક્ટરો બરતરફ, કસ્ટોડિયનની નિમણૂક

Tags :
#TVKVijayvijay
Next Article