ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Khunt આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાને 13 નવેમ્બર સુધી રિમાન્ડ

Amit Khunt આત્મહત્યા કેસ : રાજકોટ જિલ્લાના રીબડા ગામમાં થયેલા બહુચર્ચિત અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપીઓમાંના એક રાજદીપસિંહ જાડેજાએ આખરે સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નકારાયા પછી ઘણા મહિનાઓની ફરારીઓ પછી 10 નવેમ્બર, 2025ના રોજ રાજદીપસિંહે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેમને 13 નવેમ્બર સુધી રિમાન્ડ પર મોકલી દીધા છે, જ્યારે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
11:44 PM Nov 11, 2025 IST | Mujahid Tunvar
Amit Khunt આત્મહત્યા કેસ : રાજકોટ જિલ્લાના રીબડા ગામમાં થયેલા બહુચર્ચિત અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપીઓમાંના એક રાજદીપસિંહ જાડેજાએ આખરે સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નકારાયા પછી ઘણા મહિનાઓની ફરારીઓ પછી 10 નવેમ્બર, 2025ના રોજ રાજદીપસિંહે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેમને 13 નવેમ્બર સુધી રિમાન્ડ પર મોકલી દીધા છે, જ્યારે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.

ગોંડલ : રાજકોટ જિલ્લાના રીબડા ગામમાં થયેલા બહુચર્ચિત અમિત ખુંટ ( Amit Khunt ) આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપીઓમાંના એક રાજદીપસિંહ જાડેજાએ આખરે સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી નકારાયા પછી ઘણા મહિનાઓની ફરારીઓ પછી 10 નવેમ્બર, 2025ના રોજ રાજદીપસિંહે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેમને 13 નવેમ્બર સુધી રિમાન્ડ પર મોકલી દીધા છે, જ્યારે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન જજના નિવાસસ્થાને રાજદીપસિંહને રજૂ કરવામાં આવ્યા હતા, અને પોલીસ હવે તેમના વિરુદ્ધ વ્યાપક પૂછપરછ કરશે.

હનીટ્રેપમાં ખુંટને ફસાવીને ખોટી ફરિયાદ

આ કેસની શરૂઆત 2020માં થઈ હતી, જ્યારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમિત દામજીભાઈ ખુંટ (37) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં રાજદીપસિંહ જાડેજા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના નામો આવ્યા હતા, જેમણે કથિત રીતે હનીટ્રેપમાં ખુંટને ફસાવીને ખોટી ફરિયાદ કરાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અનિરુદ્ધસિંહે જૂનાગઢના રહીમ મકરાણીનો સંપર્ક કરીને આ યોજના ઘડી હતી, અને તેમાં બે વકીલો, ફરિયાદી તરણી અને તેની બહેનપણી પણ સામેલ હતા. આ ફરિયાદ નોંધાયા પછીના બીજા જ દિવસે, 5 મે, 2025ના રોજ અમિત ખુંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમના પાસેથી મળેલી પાંચ પાનાની સુસાઇડ નોટમાં રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ પર ત્રાસ આપવા, પૈસા વસૂલવા અને ખોટી ફરિયાદ કરાવવાના આરોપો લગાવાયા હતા.

Amit Khunt કેસમાં પાછલા ઘણા સમયથી હતો  રાજદીપસિંહ ફરાર

આ કેસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા પછી રાજદીપસિંહ અને તેમના પિતા બંને ફરાર થઈ ગયા હતા. ગોંડલ કોર્ટે બંનેની આગોતરા જામીન અરજીઓ નકારી કાઢી હતી, અને પછી ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે પણ આ અરજીઓ ફગાવી દીધી હતી. અનિરુદ્ધસિંહ પર અલગથી 1988ના પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા પણ છે, જેના કારણે તેમને વધુ કડક આદેશો મળ્યા હતા. આ તમામ બાબતો પછી રાજદીપસિંહે ઘણા સમય બાદ સરેન્ડર કર્યું, જેને કેસમાં મહત્વનું વળાંક માનવામાં આવી રહ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, રિમાન્ડ મંજૂર થયા પછી અત્યાર સુધી કોણે કોણે રાજદીપસિંહને આસરો આપ્યો છે અને તે કઈ-કઈ જગ્યાએ ફર્યા છે તેની તમામ વિગતોની પૂછપરછ કરાશે. અમિત ખુંટ કેસમાં વધુ પુરાવા મેળવવા માટે આ રિમાન્ડ દરમિયાન વ્યાપક તપાસ કરવામાં આવી શકે છે. આ કેસમાં હવે અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની તપાસ પણ વેગ પકડશે, જેમાં રહીમ મકરાણી અને અન્ય આરોપીઓ ઉપર પણ કાર્યવાહી થશે.

આ પણ વાંચો- Surendranagar : સરકારી મગફળીઓ લઈને જતાં ટ્રકને નડ્યો અકસ્માત, લોકોએ મગફળીની ચલાવી લૂંટ

Tags :
Amit KhuntAmit Khunt CaseGondal PoliceRajdeep Sinh JadejaremandSuicide CaseSurrender
Next Article