ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : પાંડેસરામાં માત્ર 50 રૂપિયાની લેતી-દેતીમાં યુવકની હત્યા, પોલીસે ઉકેલ્યો ભેદ

Surat માં 50 રૂપિયાના વિવાદથી બર્થડે પાર્ટીમાં હત્યા : બે આરોપી પકડાયા
05:10 PM Sep 18, 2025 IST | Mujahid Tunvar
Surat માં 50 રૂપિયાના વિવાદથી બર્થડે પાર્ટીમાં હત્યા : બે આરોપી પકડાયા

Surat : સુરતના ( Surat ) પાંડેસરા વિસ્તારમાં થયેલી એક યુવાનની હત્યાનો ભેદ માત્ર બે દિવસમાં જ પોલીસે ઉકેલી દીધો છે. આ હત્યા માત્ર 50 રૂપિયાની લેતી-દેતીના કારણે થઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. આ કેસમાં બર્થડે પાર્ટી દરમિયાન માત્ર 50 રૂપિયાની લેતી-દેતીની વાતથી શરૂ થઈ અને એક મોટા ઝગડામાં પરિણમી હતી. પાંડેસરા પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓ બીટ્ટુ સિંહ અવધિયા અને ચંદનશિહ દુબેની ધરપકડ કરી છે. આ ઘટના 16 સપ્ટેમ્બરના રોજ ઘટી હતી, જ્યારે 17 સપ્ટેમ્બરે મૃતકની લાશ મળી હતી.

બર્થડે પાર્ટીમાં થયો વિવાદ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના બીટ્ટુ સિંહના જન્મદિવસની ઉજવણી દરમિયાન બની હતી. 16 સપ્ટેમ્બરની મોડી સાંજે બીટ્ટુ સિંહ અને તેમના સાત મિત્રો તિરુપતિ સર્કલ પાસે એકઠા થયા હતા. જન્મદિવસની પાર્ટી માટે તેઓએ હોટલમાં એક રૂમ ભાડે લીધો હતો. આ દરમિયાન અનિલ રાજભરે બીટ્ટુ સિંહને હાથ ઉછીના તરીકે 50 રૂપિયા આપ્યા હતા. પરંતુ આ નાની રકમની વાતથી જ રકજક ચાલું થઈ અને અને ઉગ્ર ઝગડામાં પરિણમી હતી.

આ પણ વાંચો- Vadodara : SSG હોસ્પિટલના નવા સર્જીકલ વોર્ડની કામગીરી 11 મહિનાથી ટલ્લે ચઢતા રોષ

ઝઘડા દરમિયાન ભગતસિહ રાજપૂતે વાઇપરની લાકડી લઈને બીટ્ટુ સિંહને માર માર્યા હતો. તે જ સમયે ચંદનશિહ દુબેએ અનિલ રાજભરને પકડી રાખ્યો હતો. આ વચ્ચે બીટ્ટુ સિંહે એકાએક ભગતસિહ રાજપૂતને ચપ્પુથી ઘા મારી દીધા, જેના કારણે ભગતસિહનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમજ અનિલ રાજભરને પણ ઇજા થઈ જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Surat પોલીસની ત્વરિત કાર્યવાહી

17 સપ્ટેમ્બરની મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં ભગતસિહ રાજપૂતની લાશ મળી હતી, જેના પગલે પોલીસે તુરંત તપાસ શરૂ કરી. માત્ર બે દિવસમાં જ તપાસમાં મુખ્ય આરોપીઓના નામ સામે આવ્યા અને પાંડેસરા પોલીસે બીટ્ટુ સિંહ અને ચંદનશિહ દુબેની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ ઘટના દર્શાવે છે કે કેટલીક વખત નાની વાતો પણ ગંભીર પરિણામો તરફ દોરી જાય છે. પોલીસની ત્વરિત કાર્યવાહીથી આ કેસ ઝડપથી ઉકેલવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Ahmedabad : પોલીસકર્મીએ નશો કરી રિક્ષાચાલકને ઉડાવ્યો !

Tags :
#50RupiahControversy#BirthdayPartyMurder#PandesaraMurderGujaratPoliceSuratSuratNews
Next Article