Surendranagar: નુરેમહમંદી સોસાયટીમાં ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડાયા
સુરેન્દ્રનગરની નુરેમહમંદી સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરી થતા ભારે ચકચાર મચી હતી. જોકે, એ-ડિવિઝન પોલીસે ખૂબ જ ત્વરિત તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને પકડી પાડ્યા છે. ચોરી થયેલી રોકડ અને ચાંદીના દાગીના સહિત 46,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Advertisement
Surendranagar Theft Case: સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવતા એ-ડિવિઝન પોલીસે ચોરીના એક જટિલ કેસનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કરી દીધો છે. શહેરની નુરેમહમંદી સોસાયટીમાં રહેણાંક મકાનમાં થયેલી ચોરીની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, પરંતુ પોલીસની ત્વરિત અને સક્રિય કામગીરીએ ગુનેગારોને તુરંત જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

