Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Swabhiman Parv : સોમનાથમાં પ્રથમવાર રવેડી યાત્રાનું આયોજન, મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો!

ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથનાં સાનિધ્યમાં મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં સાધુ-સંતો ભવ્ય રવેડી યાત્રામાં જોડાયા છે. જુનાગઢમાં જેમ મહાશિવરાત્રિ નીકળે તેવી જ યાત્રા સોમનાથમાંથી નીકળી છે. આ યાત્રામાં 500 જેટલા સાધુ-સંતો જોડાયા છે.
swabhiman parv   સોમનાથમાં પ્રથમવાર રવેડી યાત્રાનું આયોજન  મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો
Advertisement
  1. યાત્રાધામ સોમનાથમાં પ્રથમવાર રવેડી યાત્રાનું આયોજન (Swabhiman Parv)
  2. મિનિ કુંભ જેવો માહોલ સોમનાથમાં જોવા મળ્યો!
  3. જુનાગઢમાં જેમ મહાશિવરાત્રિએ નીકળે તેવી જ યાત્રા સોમનાથ નીકળી
  4. 500 જેટલા સાધુ-સંતો આ યાત્રામાં જોડાયા
  5. શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી રવેડી યાત્રાનું આયોજન કરાયું

Swabhiman Parv : ગીર સોમનાથના (Gir Somnath) પવિત્ર પ્રભાસ તીર્થ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર (Somnath Temple) ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથનાં સાનિધ્યમાં મિનિ કુંભ (Mini Kumbh) જેવો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં સાધુ-સંતો ભવ્ય રવેડી યાત્રામાં (Ravedi Yatra) જોડાયા છે. જુનાગઢમાં (Junagadh) જેમ મહાશિવરાત્રી નીકળે તેવી જ યાત્રા સોમનાથમાંથી નીકળી છે. આ યાત્રામાં 500 જેટલા સાધુ-સંતો જોડાયા છે. શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી રવેડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Somnath Swabhiman Parv: સોમનાથ ખાતે PM Modiનો જાણો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

Advertisement

Advertisement

સોમનાથ ધામ ખાતે Swabhiman Parv ની ભવ્ય ઉજવણી

સોમનાથ મંદિર (Somnath Temple) પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ છતાં આજે પણ મંદિર અડગ છે. મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે (Sardar Vallabhbhai Patel) સોમનાથ મંદિરનાં જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે સોમનાથ ધામ ખાતે સ્વાભિમાન પર્વની (Swabhiman Parv) ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ સોમનાથ મંદિરની અખંડતા અને સ્વાભિમાનને દર્શાવે છે.

આ પણ વાંચો - સોમનાથ સ્વાભિમાન પર્વ અને PM Modiના આગમનની જાણો કેવી છે તૈયારી

સોમનાથમાં પ્રથમવાર રવેડી યાત્રાનું આયોજન, દેશભરમાંથી સાધુ-સંતો જોડાયા

સ્વાભિમાન પર્વ દરમિયાન સોમનાથના સાનિધ્યમાં મિનિ કુંભ (Mini Kumbh) જેવો માહોલ સર્જાયો છે. આજે સોમનાથમાં પ્રથમવાર ભવ્ય રવેડી યાત્રા નીકળી, જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ-સંતો પધાર્યા છે. માહિતી અનુસાર, 500 જેટલા સાધુ-સંતો આ યાત્રામાં જોડાયા છે. આ રવેડી યાત્રાનું આયોજન શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી કરવામાં આવ્યું છે. જુનાગઢમાં જેમ મહાશિવરાત્રિએ (Mahashivratri) નીકળે તેવી જ યાત્રા સોમનાથમાં આજે જોવા મળી છે.

આ પણ વાંચો - Muddani Vaat LIVE: સોમનાથ સ્વાભિમાન પર્વ: આસ્થા, ઈતિહાસ અને ટેકનોલોજીનો સંગમ

Tags :
Advertisement

.

×