Swabhiman Parv : જામનગરમાં શિવધૂનમાં MP પૂનમબેન માડમ જોડાયા, 72 કલાક અખંડ ઓમકાર નાદનો જાપ
- Jamnagar માં સોમનાથ Swabhiman Parv માં તલ્લીન શિવભક્તો
- જિલ્લાભરમાં સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ
- સોયલ ગામે મોડી રાત્રે શિવધૂનમાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા
- સોયલેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના અખંડ ઓમકાર નાદના જાપ
- કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પણ સાંસદ સાથે જોડાયા
Jamnagar : યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Temple) ખાતે હાલ સ્વાભિનામ પર્વની (Swabhiman Parv) હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પર્વમાં ભાગીદાર થવા ગુજરાત સહિત દેશભરમાંથી શીવભક્તો પહોંચી રહ્યા છે. જામનગરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિવભક્તો તલ્લીન જોવા મળ્યા છે. જિલ્લાભરમાં સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ જોવા મળ્યું છે. સોયલ ગામે મોડી રાત્રે શિવધૂનમાં સાંસદ પૂનમબેન માડમ (MP Poonamben Maadam) જોડાયા હતા. સોયલેશ્વર મહાદેવ મંદિરે 72 કલાકના અખંડ ઓમકાર નાદના જાપ થયા.
આ પણ વાંચો - Somnath Swabhiman Parv: "3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ"
Swabhiman Parv, સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ
જ્યાં એક તરફ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં શીવભક્તો મગ્ન છે. ત્યારે બીજી તરફ જામનગરમાં (Jamnagar) પણ સ્વાભિમાન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાભરમાં સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ એવા સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિવભક્તો તલ્લીન જોવા મળ્યા છે. સોયલ ગામે મોડી રાત્રે શિવધૂનમાં સાંસદ પૂનમ માડમ સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભક્તિનો આહલાદ રચાયો હતો!
Somnath Temple history: શ્રાપથી શરૂ થયેલી સફર સુવર્ણયુગ સુધી! 1000 વર્ષનો લોહિયાળ પણ ગૌરવવંતો ઈતિહાસ @Somnath_Temple @PMOIndia @HMOIndia @narendramodi @AmitShah @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @sanghaviharsh #SomnathTemple #History #PMModi #SardarPatel #SanatanDharma… pic.twitter.com/3ZLmCQf80f
— Gujarat First (@GujaratFirst) January 9, 2026
72 કલાકના અખંડ ઓમકાર નાદના મહાઅનુષ્ઠાનમાં સાંસદ લીન થયા
અતૂટ આસ્થાનાં 1000 વર્ષનાં સંકલ્પ સાથે સોયલેશ્વર મહાદેવ મંદિર (Soyaleshwar Mahadev Temple) ખાતે 72 કલાકના અખંડ ઓમકાર નાદના મહાઅનુષ્ઠાનમાં સાંસદ પૂનમ માડમ લીન થયા હતા. કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પણ સાસદ સાથે જોડાયા હતા. જામનગર શહેરના શિવાલયોમાં મહાઆરતી અને દીપોત્સવ સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.
આ પણ વાંચો - Somnath Swabhiman Parv: "અઢારેય વરણના બલિદાનથી સચવાયેલું છે આપણું સોમનાથ"


