ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જો બિલાડી તમારો રસ્તો ઓળંગે તો શું સમજવું ? પ્રેમાનંદ મહારાજે જણાવી હકીકત

DHARMA : જો ભગવાનની આંખો વાંકી હોય તો કોઈ આપણને કેવી રીતે બચાવી શકે ? તેથી, આપણે ભગવાનની આંખને ધ્યાનમાં રાખવી જોઈએ
09:35 PM Jun 25, 2025 IST | PARTH PANDYA
DHARMA : જો ભગવાનની આંખો વાંકી હોય તો કોઈ આપણને કેવી રીતે બચાવી શકે ? તેથી, આપણે ભગવાનની આંખને ધ્યાનમાં રાખવી જોઈએ

DHARMA : હિન્દુ ધર્મમાં બિલાડીને અલક્ષ્મી અને રાહુ સાથે જોડવામાં આવે છે. આ કારણે જ્યારે પણ કોઈ શુભ કાર્ય માટે જતી વખતે બિલાડી કોઈનો રસ્તો ઓળંગે (CAT CROSS ROAD) છે, ત્યારે તેને ખૂબ જ અપશુકન માનવામાં આવે છે. કહેવાય છે કે, બિલાડી રસ્તો ઓળંગી ગઈ છે અને હવે જે કામ થઈ રહ્યું છે તે બગડી જશે. આવી માન્યતાઓને કારણે ઘણા લોકો જ્યારે બિલાડી રસ્તો ઓળંગે છે ત્યારે આગળ વધતા નથી, અને તેઓ ત્યાં થોડીવાર રાહ જુએ છે, અને પછી બીજા કોઈને પહેલા આગળ જવા દે છે. હવે રાધા વલ્લભ સંપ્રદાયના પ્રેમાનંદ મહારાજે (PREMANAND MAHARAJ) આ વિશે વાત કરી છે અને લોકોને સત્ય જણાવ્યું છે.

પ્રેમાનંદ મહારાજે શું કહ્યું ?

પ્રેમાનંદ મહારાજે (PREMANAND MAHARAJ) પોતાના પ્રવચન દરમિયાન કહ્યું કે, લોકો ઘણીવાર બિલાડી રસ્તો ઓળંગે તે અંગે સાવધ રહે છે, પરંતુ આપણે બિલાડી રસ્તો ઓળંગી ગઈ, ચાલતી વખતે કોઈ છીંક્યું, કે કોઈએ આપણા પર ખરાબ નજર નાખી, એવી વાતોમાં માનવું જોઇએ નથી. કંઈ ખોટું નહીં થાય. અમે કહીએ છીએ કે, જો તમે 100-200 બિલાડીઓ કાઢી નાખો તો કોઈ ફરક પડશે નહીં. આ બધી નકામી વાતો પર ધ્યાન ન આપવું જોઈએ.

ભગવાન અમંગલહારી છે

વધુમાં પ્રેમાનંદ મહારાજે કહ્યું, તમે કંઈક અશુભ કરી રહ્યા છો. આ બધું બકવાસ છે. રાધા-રાધાનો જાપ કરો અને કોઈનું અમંદગલ નહીં થાય. ભગવાનતો શુભતાનું ધામ છે, ભગવાન બધી દુષ્ટતાનો નાશ કરે છે, જો ભગવાન હશે તો કોઈ તમારા પર ખરાબ નજર નહીં નાખે. જ્યારે ભગવાન જોઈ રહ્યા હોય, ત્યારે બીજા કોઈની ખરાબ નજર શું નુકસાન કરી શકે ? હવે જો ભગવાનની આંખો વાંકી હોય તો કોઈ આંખ આપણને કેવી રીતે બચાવી શકે ? તેથી, આપણે ભગવાનની આંખને ધ્યાનમાં રાખવી જોઈએ, જે દરેકને જોઈ રહી છે.

આ લોક માન્યતાઓ કોના માટે કહેવામાં આવે છે ?

તેમણે આગળ કહ્યું કે, જ્યારે પણ તમે કોઈપણ કામ માટે જાઓ ત્યારે ભગવાનનું સ્મરણ કરો અને તેમનું નામ જપો. તમે નામનો જાપ કરો છો અને કામ માટે બહાર જાઓ છો. તેવામાં કોઈ બિલાડી તમારો રસ્તો કાપી નાખે અને કંઈક અમંગલ ઘટના બને, તો અમને કહેજો. જે કંઈ પણ અમંગલ વાતો કહેવામાં આવી છે, તે ભગવાનથી દુર હોય તેવા લોકો માટે કહેવામાં આવી છે. જે લોકો ભગવાનને યાદ કરે છે તેમનું કોઇ અમંગલ કરી શકે તેમ નથી.

આ પણ વાંચો --- Tulsi Mala : હિન્દુ ધર્મમાં તુલસીની માળાને આપવામાં આવ્યું છે વિશેષ મહત્વ

Tags :
andCatcrossGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsMaharajmythonpremanandRoadsharedswamiunluckyview
Next Article