ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TamilNadu : વિજયની રેલીમાં ભાગદોડથી 36ના મોત, CMએ 10 લાખની સહાય જાહેર કરી

TamilNadu : વિજયની રેલીમાં બેકાબૂ ભીડ: 36ના મોત, તપાસ સમિતિની રચના
12:08 AM Sep 28, 2025 IST | Mujahid Tunvar
TamilNadu : વિજયની રેલીમાં બેકાબૂ ભીડ: 36ના મોત, તપાસ સમિતિની રચના

કરુર : તમિલનાડુના ( TamilNadu ) કરુરમાં અભિનેતા અને તમિલગા વેટ્ટ્રી કઝગમ ( TVK ) પાર્ટીના નેતા વિજયની ચૂંટણી રેલી દરમિયાન ભાગદોડ મચતાં 36 લોકોના મોત થયા છે, જેમાં 8 બાળકો અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ રાજ્યમાં શોકનું મોજું ફેલાવ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મૃતકોના પરિવારો માટે 10 લાખ રૂપિયાની સહાય અને ઘાયલો માટે 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઘટનાની તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજ અરુણા જગદીસનની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

શનિવારે સાંજે કરુરમાં વિજયની TVK પાર્ટીની રેલી દરમિયાન ભીડ બેકાબૂ બની. રેલીમાં 10,000 લોકોની પરવાનગી હોવા છતાં લગભગ 1.2 લાખ લોકો ભેગા થયા. અચાનક વીજળી ગુલ થવાથી અંધારું થયું, અને એક 9 વર્ષની બાળકી ગુમ થયાના સમાચારથી ભીડમાં ગભરાટ ફેલાયો જેના કારણે ગૂંગળામણ અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.

ભાગદોડમાં 36 લોકોના મોત થયા, જેમાં 8 બાળકો, 16 મહિલાઓ, અને 9 પુરુષોનો સમાવેશ થાય છે. 30થી વધુ લોકો ઘાયલ થયા જેમની સારવાર કરુર સરકારી મેડિકલ કોલેજ અને ખાનગી હોસ્પિટલોમાં ચાલી રહી છે. કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

વિજયે ભીડ બેકાબૂ થતાં પોતાનું ભાષણ અધવચ્ચે રોકી દીધું અને પોતાની પ્રચાર બસમાંથી લોકો માટે પાણીની બોટલો ફેંકી હતી. તેમણે લોકોને શાંત રહેવા અને ગુમ થયેલી બાળકીને શોધવામાં મદદ કરવા અપીલ કરી પરંતુ ભીડની અંધાધૂંધીને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.

તે ઉપરાંત ભારે ભીડને કારણે એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી, જેના લીધે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થયો હતો.

મુખ્યમંત્રીએ જાહેર કરી સહાય

CM એમ.કે. સ્ટાલિને મૃતકોના પરિવારો માટે 10 લાખ રૂપિયા અને ઘાયલો માટે 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમણે ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવા અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા આરોગ્ય મંત્રી એમ. સુબ્રમણ્યમ, પૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી, અને જિલ્લા કલેક્ટરને નિર્દેશ આપ્યા છે.

ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજ અરુણા જગદીસનની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ સમિતિ રચવામાં આવી છે, જે ભાગદોડના કારણો અને સુરક્ષા ખામીઓની તપાસ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પર લખ્યું, “કરુરની રેલીમાં થયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે. હું પીડિત પરિવારો પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”

તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિએ જણાવ્યું, “કરુરની રાજકીય રેલીમાં બાળકો સહિત નિર્દોષ લોકોના મોત ખૂબ જ દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.”

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પર કોંગ્રેસ કાર્યકર્તાઓને પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ મદદ કરવા અને અધિકારીઓ સાથે મળીને ઘાયલોની સારવાર માટે કામ કરવા અપીલ કરી છે.

વિપક્ષના નેતા અને AIADMK મહાસચિવ ઇ.ડી. પલાનીસ્વામીએ જણાવ્યું, “વિજયની રેલીમાં ભાગદોડથી 36થી વધુ લોકોના મોતના સમાચાર દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરું છું.”

આરોગ્ય મંત્રી એમ. સુબ્રમણ્યમે જણાવ્યું, “ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેમની સારવાર ચાલુ છે. CMના આદેશ પર ત્રિચીથી એક મેડિકલ ટીમ કરુર મોકલવામાં આવી છે. હું પણ આજે રાત્રે કરુર જઈ રહ્યો છું.”

આ પણ વાંચો- Valsad પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, પારનેરા ડુંગર પર લોકો ફસાયા

Tags :
#CMHelp #PMModi#KarurTragedy#TamilNaduRush#VijayRally
Next Article