Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Odisha : જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલાયા...

Sri Jagannath temple : ઓડિશામાં નવી ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે બુધવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિર (Sri Jagannath temple) ના ચારેય દરવાજા ફરીથી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મંદિરને લગતા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે સરકારે 500 કરોડ...
odisha   જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખોલાયા
Advertisement

Sri Jagannath temple : ઓડિશામાં નવી ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે બુધવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિર (Sri Jagannath temple) ના ચારેય દરવાજા ફરીથી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મંદિરને લગતા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે સરકારે 500 કરોડ રૂપિયાના વિશેષ ભંડોળની પણ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી તેમના સમગ્ર કેબિનેટ સાથે ચાર દરવાજા ખોલવાના સાક્ષી બનવા માટે જગન્નાથ મંદિર પહોંચ્યા છે. પુરીના સાંસદ સંબિત પાત્રા, બાલાસોરના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને અન્ય મંત્રીઓ અને પાર્ટીના નેતાઓ પણ હાજર છે.

અમે તમામ 4 દરવાજા ફરીથી ખોલીશું

એજન્સી અનુસાર, ઓડિશાના મંત્રી સૂર્યવંશી સૂરજે કહ્યું કે ચૂંટણી દરમિયાન અમે કહ્યું હતું કે અમે તમામ 4 દરવાજા ફરીથી ખોલીશું. મંદિરના ચારેય દ્વાર આજે ખુલવાના છે. મંત્રી પરિષદના તમામ સભ્યો અહીં હાજર છે, મુખ્યમંત્રી પણ હાજર છે. વિકાસ પરિયોજનાઓ માટે 500 કરોડ રૂપિયાના કોર્પસ ફંડની પણ જાહેરાત કરવામાં આવી છે. અમે ગઈકાલે શપથ લીધા હતા અને આજે અમે દરવાજા ખોલી રહ્યા છીએ.

Advertisement

Advertisement

ભક્તોને તકલીફ પડી રહી હતી...

માંઝીએ વધુમાં કહ્યું કે મંદિરમાં આવતા ભક્તોને દરવાજા બંધ હોવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને તાજેતરના નિર્ણયથી તેમની યાત્રા સરળ બનશે. નોંધનીય છે કે ભાજપે પોતાના વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં જગન્નાથ મંદિરના તમામ દરવાજા ખોલવાનું વચન પણ આપ્યું હતું.

કોવિડ-19 રોગચાળા પછી મંદિરના ચારેય દરવાજા બંધ રાખ્યા હતા

અગાઉની BJD સરકારે કોવિડ-19 રોગચાળા પછી મંદિરના ચારેય દરવાજા બંધ રાખ્યા હતા. ભક્તો માત્ર એક જ દરવાજાથી પ્રવેશી શકતા હતા અને તમામ દરવાજા ખોલવાની માંગ કરવામાં આવી હતી.

મોહન ચરણ માઝીએ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

આ પહેલા બુધવારે, ચાર વખતના ધારાસભ્ય અને કેઓંઝર જિલ્લાના આદિવાસી નેતા મોહન ચરણ માઝીએ ભુવનેશ્વરમાં એક સમારોહમાં ઓડિશાના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઘણા કેન્દ્રીય પ્રધાનો અને મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.

આ પણ વાંચો---- Odisha Oath Ceremony: ઓડિશામાં 25 વર્ષ બાદ પ્રથમવાર ભાજપ સરકાર, કુલ 16 મંત્રીઓએ લીધા શપથ

આ પણ વાંચો---- Andhra ના સુપર સ્ટાર નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની રશિયન પત્ની કોણ છે ?

Tags :
Advertisement

.

×