Surendranagar : સુરેન્દ્રનગરમાં ED ની તપાસ પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે! 1500 કરોડનાં કથિત કૌભાંડમાં મોટો ટ્વીસ્ટ આવવાની સંભાવના સેવાઈ રહી છે. સમગ્ર પ્રકરણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી (Deputy Mamlatdar Chandrasinh Mori) મુખ્ય સૂત્રધાર હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 42 લાખનો તોડ કર્યો હોવાની આશંકા છે. દિલ્હીની (Delhi) કોઈ સોલાર કંપની પાસેથી ચંદ્રસિંહે નાણા લીધાની વાત સામે આવી છે. કલેક્ટરના નામે ચંદ્રસિંહ મોરીએ નાણા લીધા હોવાની વાત સૂત્રો જણાવી રહ્યા છે.
Surendranagar નાં 1500 કરોડનાં કથિત કૌભાંડમાં મોટો ટ્વીસ્ટ આવવાની સંભાવના!
સુરેન્દ્રનગરમાં (Surendranagar) જમીનની NA કરવાના 1500 કરોડનાં કથિત કૌભાંડ (Land Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાયબ મામલતદાર ચંદ્રસિહ મોરી આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હોવાની ચર્ચા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 42 લાખનો તોડ કર્યો હોવાની અને દિલ્હીની કોઈ સોલાર કંપની પાસેથી ચંદ્રસિંહે નાણા લીધાની વાત સામે આવી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, કલેક્ટરના નામે ચંદ્રસિંહ મોરીએ નાણા લીધાની વાત પણ વહેતી થઈ છે.
આ પણ વાંચો - સુરેન્દ્રનગરમાં ED કાર્યવાહી બાદ મોટો ઝટકો : કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો ચાર્જ
જો કે, હવે આ પ્રકરણમાં અનેક સવાલ ઊભા થયા છે કે...
- નાયબ મામલતદારના 'કાંડ'માં શું સુરેન્દ્રનગર કલેક્ટર અજાણ હતા?
- જો કલેક્ટરનો પણ ભાગ હોય તો ના. મામલતદારની બદલી કેમ કરી?
- કલેક્ટરને અંધારામાં રાખી શું ચંદ્રસિંહ મોરી વહિવટ કરતા હતા?
- સૌથી મોટો સવાલ શું ચંદ્રસિંહ મોરી જ પોતાને કલેક્ટર માનતા હતાં?
ચંદ્રસિંહ મોરી હાલ ED ની કસ્ટડીમાં, તપાસમાં મોટા ખુલાસા થવાની વકી
સોશિયલ મીડિયામાં વાયરલ છે એ લિસ્ટ પણ વર્ષ 2024 નું હોવાની ચર્ચા વેગવંતી થઈ છે. જો લિસ્ટ જૂનું હોય તો એ સમયે કલેક્ટર રાજેન્દ્ર પટેલ (Collector Rajendra Patel) હતાં જ નહીં! એવી પણ વાતો થઈ રહી છે. જણાવી દઈએ કે, ચંદ્રસિંહ મોરી હાલમાં ED ની કસ્ટડીમાં રિમાન્ડ પર છે. આ મામલે યોગ્ય તપાસ થાય તો કેટલાક મોટા અને ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Surendranagar: રૂ.1500 કરોડના કૌભાંડમાં નાયબ મામલતદારની ધરપકડ, મોટા ખુલાસા થવાની સંભાવના