ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધારાસભ્યોની અયોગ્યતા વિશે સ્પીકર જલ્દી ફેંસલો લે: સુપ્રીમ કોર્ટ

લાંબી રાહ જોયા બાદ આજે (11 મે) મહારાષ્ટ્રના રાજકીય સંકટ કેસ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. ચુકાદા બાદ શિંદે જૂથને મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેશે નહીં. આ માટે...
01:00 PM May 11, 2023 IST | Vipul Pandya
લાંબી રાહ જોયા બાદ આજે (11 મે) મહારાષ્ટ્રના રાજકીય સંકટ કેસ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. ચુકાદા બાદ શિંદે જૂથને મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેશે નહીં. આ માટે...
લાંબી રાહ જોયા બાદ આજે (11 મે) મહારાષ્ટ્રના રાજકીય સંકટ કેસ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. ચુકાદા બાદ શિંદે જૂથને મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેશે નહીં. આ માટે સ્પીકરને જલ્દી નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યો ન હતો, તેથી તેમને પુનઃસ્થાપિત કરી શકાય નહીં.
સ્પીકરે સ્વતંત્ર તપાસ કરીને નિર્ણય લેવો જોઈતો હતો. 
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે વ્હીપને પાર્ટીથી અલગ કરવું લોકશાહી પ્રમાણે યોગ્ય નહીં હોય. તે પક્ષ છે જે જનતા પાસેથી મત માંગે છે. માત્ર ધારાસભ્યો જ નક્કી કરી શકતા નથી કે વ્હીપ કોણ હશે. પક્ષના ધારાસભ્યોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને નેતા માનવામાં આવ્યા હતા. 3 જુલાઈના રોજ સ્પીકરે શિવસેનાના નવા વ્હીપને મંજૂરી આપી હતી. આ રીતે બે નેતાઓ અને 2 વ્હીપ થયા. સ્પીકરે સ્વતંત્ર તપાસ કરીને નિર્ણય લેવો જોઈતો હતો. ગોગાવલેને વ્હીપ માનવા તે ખોટું હતું કારણ કે તે પક્ષ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ સાથે સમગ્ર મામલો મોટી ખંડપીઠને મોકલવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ વિશે શું કહ્યું?
રાજ્યપાલે એવું ન કરવું જોઈએ જે તેમને બંધારણે આપ્યું નથી. જો સરકાર અને સ્પીકર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા સ્થગિત કરવાનો પ્રયાસ કરશે તો રાજ્યપાલ નિર્ણય લઈ શકે છે. પરંતુ આ મામલે ધારાસભ્યોએ રાજ્યપાલને લખેલા પત્રમાં એવું નથી કહ્યું કે તેઓ એમવીએ સરકારને હટાવવા માંગે છે. માત્ર પોતાની પાર્ટીના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે કોઈપણ પક્ષમાં અસંતોષ ફ્લોર ટેસ્ટનો આધાર ન હોવો જોઈએ. રાજ્યપાલને જે પણ દરખાસ્તો મળી હતી તે સ્પષ્ટ નથી. અસંતુષ્ટ ધારાસભ્યો નવી પાર્ટી બનાવી રહ્યા છે કે ક્યાંક વિલીનીકરણ કરી રહ્યા છે તે જાણી શકાયું નથી.
અયોગ્યતા અંગે નિર્ણય નહીં લેવાય
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે અયોગ્યતા અંગે નિર્ણય લેશે નહીં. સ્પીકરને આ મામલે ઝડપથી નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે પક્ષમાં ભાગલા અયોગ્યતાની કાર્યવાહીથી બચવાનો આધાર બની શકે નહીં. ઉદ્ધવને ફરીથી સ્થાપિત કરી શકતા નથી.
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી
 ગયા વર્ષે એકનાથ શિંદે જૂથના બળવા પછી શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ તત્કાલિન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એકનાથ શિંદેને સરકાર બનાવવા માટે બોલાવ્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા 16 ધારાસભ્યોની સદસ્યતાની માન્યતાને પડકારવામાં આવી હતી, જેના પર આજે નિર્ણય આવ્યો છે.
આ પણ વાંચો----પોખરણમાં ભારતના 5 પરમાણુ બ્લાસ્ટ અને વિશ્વ ચોંકી ઉઠ્યું..વાંચો પોખરણ સાહસની કહાણી…!
Tags :
MaharashtraMaharashtra Political CrisisSupreme Court
Next Article