ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad ના RTI એક્ટિવિસ્ટની હત્યા કરનારા ઝડપાયા, બિલ્ડરોએ આપી હતી સોપારી

Ahmedabad : ગત 13 ઓક્ટોબરના રોજ થરાદ નજીકની નર્મદા મુખ્ય કેનાલમાંથી RTI એક્ટિવિસ્ટ રસિક પરમારનો મૃતદેહ મળ્યો હતો. પ્રારંભમાં આપઘાત તરીકે ગણાતો કેસ મૃતકના ભત્રીજા વિનય પરમારની ફરિયાદ પર હત્યા તરીકે બદલાયો હતો. તપાસમાં ગળું દબાવીને હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું.
09:25 PM Oct 19, 2025 IST | Mujahid Tunvar
Ahmedabad : ગત 13 ઓક્ટોબરના રોજ થરાદ નજીકની નર્મદા મુખ્ય કેનાલમાંથી RTI એક્ટિવિસ્ટ રસિક પરમારનો મૃતદેહ મળ્યો હતો. પ્રારંભમાં આપઘાત તરીકે ગણાતો કેસ મૃતકના ભત્રીજા વિનય પરમારની ફરિયાદ પર હત્યા તરીકે બદલાયો હતો. તપાસમાં ગળું દબાવીને હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું.

Ahmedabad RTI Activist : ગુજરાતના અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના રી-ડેવલપમેન્ટ કૌભાંડોનો પર્દાફાશ કરતા જાણીતા દિવ્યાંગ RTI કાર્યકર્તા રસિક પરમારની હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પડ્યો છે. ગત 13 ઓક્ટોબર, 2025ના રોજ થરાદ (બનાસકાંઠા) નજીકની નર્મદા કેનાલમાંથી મળેલા મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. થરાદ પોલીસે આઠ વિશેષ ટીમોની મદદથી ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડર લોબીએ AMCના રી-ડેવલપમેન્ટમાં બોગસ ગ્રાહકો અને અનિયમિતતાઓ ઉજાગર કરતા રસિકને ચૂપ કરાવવા 20 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

ગત 13 ઓક્ટોબરના રોજ થરાદ નજીકની નર્મદા મુખ્ય કેનાલમાંથી રસિક પરમાર (ઉંમર 50)નો મૃતદેહ મળ્યો હતો. પ્રારંભમાં આપઘાત તરીકે ગણાતો કેસ મૃતકના ભત્રીજા વિનય પરમારની ફરિયાદ પર હત્યા તરીકે બદલાયો હતો. તપાસમાં ગળું દબાવીને હત્યા કરીને મૃતદેહ કેનાલમાં ફેંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. રસિક, જે દિવ્યાંગ હોવા છતાં છેલ્લા એક દાયકાથી AMCના ઝૂંપડપટ્ટી અને વસાહતોના રી-ડેવલપમેન્ટ કૌભાંડોમાં RTI દાખલા કરીને અનિયમિતતાઓ ઉજાગર કરતા હતા, તેમને ધમકીઓ મળતી રહેતી હતી. તેમની તાજેતરની RTIથી બિલ્ડરોની બોગસ ગ્રાહકો અને ષડયંત્ર બહાર આવવાનો હતો, જેના કારણે તેઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -  Jamnagar : ધનતેરસના દિવસે જ ચોરોએ કરી ધનની ઉઠાંતરી, વેપારીના ઘરમાં 9 લાખની ચોરી

થરાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી જેમાં DySPના માર્ગદર્શન હેઠળ આઠ ટીમોની રચના કરાઈ. આરોપીઓનું લોકેશન ટ્રેકિંગ અને સીસીટીવી ફૂટેજના આધારે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે બિલ્ડર લોબીએ 20 લાખની સોપારી આપીને હત્યા કરાવી હતી. આ હત્યા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (હત્યા), 61 (ગુનાહિત ષડયંત્ર) અને અન્ય કલમો હેઠળ નોંધાયો છે. પોલીસ હજુ પણ વધુ આરોપીઓ અને બિલ્ડરોની ઓળખ કરવા પર કામ કરી રહી છે.

આરોપીઓની ધરપકડ અને તેમની ભૂમિકાપોલીસે નીચેના 4 મુખ્ય આરોપીઓને ધરપકડ કરી છે, જે તમામ બનાસકાંઠા અને આબાસણા જિલ્લાના રહેવાસીઓ છે.

આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ રસિકને અપહરીને હત્યા કરી અને શવને કેનાલમાં ફેંક્યો હતો. તેઓ AMCના રી-ડેવલપમેન્ટમાં બોગસ ગ્રાહકો ઊભા કરીને લાભ મેળવતા હતા, જેનો રસિક પર્દાફાશ કરવા માંગતા હતા.

આ પણ વાંચો- Gandhinagar : અક્ષરધામમાં અંધકાર પર પ્રકાશનો વિજયોત્સવ, 10,000 દીવડાઓની હારમાળાના મનમોહક દ્રશ્ય

Tags :
#AMCScam#BuilderBetrayal#Fightagainstcorruption#NarmadaCanal#RasikParmarmurder#RTIActivist#TharadPoliceGujaratCrime
Next Article