Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GPSCની પરીક્ષા આપતા ઉમેદવારો માટે ત્રણ મહત્ત્વના નિર્ણય, હસમુખ પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી

GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
gpscની પરીક્ષા આપતા ઉમેદવારો માટે ત્રણ મહત્ત્વના નિર્ણય  હસમુખ પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી
Advertisement
  • ઉમેદવારો માટે GPSCએ ત્રણ મોટા નિર્ણય લીધા
  • બોર્ડની મિટિંગમાં લેવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય
  • ઈન્ટરવ્યૂ માટે આવનારા ઉમેદવારોને નાસ્તો-ભોજન મળશે

GPSC(ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આયોગના ચેરમેન હસમુખ પટેલ દ્વારા એક્સ પર પોસ્ટ કરી આ ત્રણેય નિર્ણયો અંગે જાણકારી આપવામાં આવી હતી. જે ભરતીમાં અનુભવની જરુર ન હોય તેમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે. આયોગમાં ઈન્ટરવ્યૂ માટે આવતા ઉમેદવારોને નાસ્તો-ભોજન આપવાનો પણ નિર્ણય કરાયો છે.

GPSCએ આ ત્રણ મહત્ત્વના નિર્ણય લીધા

  • નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરવામાં આવ્યું, આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.

Advertisement

  • છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ અરજી કરી શકે તેવી ગઈકાલની રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે તથા કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા લોકો પણ કેટેગરીમાં અરજી કરી શકે તેવો નિર્ણય આયોગે લીધેલો છે.

Advertisement

  • આયોગમાં ઈન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું આપવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, કરોડોનાં વિકાસકામોની આપશે ભેટ

Tags :
Advertisement

.

×