Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : મનરેગા કૌભાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ, કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા

દાહોદના મનરેગા કૌભાંડમાં પોલીસની કાર્યવાહી ધરપકડ નો દોર સતત યથાવત છે. આજે વધુ ત્રણની ધરપકડ સાથે અત્યાર સુધી કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
dahod    મનરેગા કૌભાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ  કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા
Advertisement
  • દાહોદના મનરેગા કૌભાંડ મુદ્દે વધુ ત્રણ આરોપીની ધરપકડ
  • APO ભાવેશ રાઠોડ, ઓપરેટર સંજય બારીયાની ધરપકડ
  • એજન્સીના માલિક જગદીશ બારીયાની પણ ધરપકડ
  • ભાવેશ 9 દિવસ, સંજય અને જગદીશ 6 દિવસના રિમાન્ડ પર
  • મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ

રાજ્યભરમાં ચકચાર જગાવનાર દેવગઢ બારિયા (Devgadh Baria,) અને ધાનપુર તાલુકામાં માનરેગા યોજના (MNREGA Scheme) અંતર્ગત થયેલા કૌભાંડને મામલે પોલીસે અગાઉ મંત્રી બચુભાઈ ખાબડ (Minister Bachubhai Khabar) ના બે પુત્રો સહિત અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય એજન્સીઓના સંચાલકોની કુલ 11 લોકોની ધરપકડ કરી છે. કેટલાક જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. અમુક લોકો પોલીસ રિમાન્ડ (Police remand) ઉપર છે. તપાસ દરમિયાન આજે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં ધાનપુર તાલુકા પંચાયત (Dhanpur Taluka Panchayat) માં એપીઓ તરીકે ફરજ બજાવતા ભાવેશ રાઠોડ (Bhavesh Rathod) એમએસ ઓપરેટર સંજય બારિયા (Sanjay Bariya) અને એજન્સી ધરાવતા જગદીશ બારિયા (jagdish Bariya)ની પોલીસે ધરપકડ કરી દાહોદ સેશન્સ કોર્ટ (Dahod Sessions Court)માં રજૂ કરતાં નામદાર કોર્ટે એપીઓ ભાવેશ રાઠોડ (Bhavesh rathod)ના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે સંજય અને જગદીશના 6 – 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

dahod news gujarat first

Advertisement

71 કરોડ રૂપિયાની ગેરરીતિ મામલો દાહોદ પોલીસ મથકે ફરિયાય નોધાઈ

ઉલ્લેખનીય છે કે 71 કરોડ રૂપિયાની ગેરરીતિની દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે (Dahod police Station) ફરિયાદ નોધાવવામાં આવી છે. જેમાં ૩૫ એજન્સીના નામ સામેલ છે. તેમાથી બે એજન્સી મંત્રી બચુભાઈ ખાબડ (Minister Bachubhai Khabar) ના બે પુત્રોના નામે આવેલી છે. જે બંને મંત્રી પુત્રો અત્યારે પોલીસ રિમાન્ડ ઉપર છે. ત્યારે ધરપકડ નો આંકડો લાંબો પહોચે તેવું હાલ તો લાગી રહ્યું છે. તો બીજી તરફ વિરોધ પક્ષ પણ ગેલમાં આવી ગયો છે. મંત્રીના રાજીનામાં સાથે બધા જ ગામોમાં તપાસ ની માંગ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Surat: દર્દી કણસતો રહ્યો અને તબીબો પોતાની મસ્તીમાં મસ્ત, હોસ્પિટલના સત્તાધીશોએ મોડે મોડે ખુલાસો કર્યો

મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ

ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, મનરેગા કૌભાંડ કેસની તપાસમાં અગાઉ 11 જેટલા આરોપીઓ પકડ્યા હતા. તેમજ આજે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે ભાવેશ રાઠોડ, સંજય બારિયા અનેજગદીશ બારિયાની પોલીસે ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ભાવેશના 9 દિવસના તેમજ અન્ય બે લોકોના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ તપાસ હાલ ચાલુ છે.

આ પણ વાંચોઃ Morbi: ભત્રીજાના પ્રેમમાં કાકાનું મર્ડર, હળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં હત્યા

Tags :
Advertisement

.

×