ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બનાસકાંઠાના Diyodar માં દુઃખદ ઘટના : બે પ્રેમીઓ અને બે બાળકોએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Diyodar માં ગોદા નજીક દુઃખદ ઘટના: ચાર લોકોએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
04:01 PM Aug 29, 2025 IST | Mujahid Tunvar
Diyodar માં ગોદા નજીક દુઃખદ ઘટના: ચાર લોકોએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Diyodar : બનાસકાંઠાના દિયોદર (Diyodar) તાલુકાના ગોદા ગામ નજીક કેનાલમાં એક દુઃખદ સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. મસાલી ગામના એક યુવક અને બૂરેઠા ગામની એક મહિલાએ તેમના બે નાના બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. દિયોદર પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે.

કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

ઘટના ગોદા ગામ નજીક આવેલી કેનાલમાં બની છે, જ્યાં એક યુવક, એક મહિલા અને તેમના બે નાના બાળકોએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવક મસાલી ગામનો અને મહિલા બૂરેઠા ગામની હતી. આ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી સ્થાનિક સમુદાયમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો- Gujarat Rain Forecast | આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ કાઢ્યા બહાર

દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે આ ઘટનાના કારણો જાણવા તપાસ શરૂ કરી છે, જેમાં આપઘાતનું ચોક્કસ કારણ અને પરિસ્થિતિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

Diyodar ની ઘટનાથી લોકોમાં માનસિક અસર

આવી દુઃખદ ઘટનાઓથી સમાજમાં માનસિક આરોગ્ય અને સામાજિક સમર્થનની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે. સ્થાનિક લોકોએ આવી ઘટનાઓ રોકવા માટે સમુદાય આધારિત સહાય અને જાગૃતિની જરૂરિયાત વ્યક્ત કરી છે. આ ઘટનાએ ગોદા અને આસપાસના વિસ્તારોમાં ગમગીની ફેલાવી છે.

ઉલ્લેખનિ છે કે, પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. સામાન્ય વ્યક્તિ પ્રતિદિવસ જીવન જીવવા માટે ઝઝૂમવું પડી રહ્યું છે. પરિવારો પોતાની સામાન્ય જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી, તેવામાં અંતે તેઓ સામૂહિક આત્મહત્યાનો રસ્તો અપનાવી રહ્યાં છે. દેશના લોકો આત્મહત્યા કરી રહ્યાં છે પરતું કોઈના પણ પેટનું પાણી હલી રહ્યું નથી.

આ પણ વાંચો- Vadodara : ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, નાણાંનો વેડફાટ

Tags :
#DeodarPolice#DeodarSuicide#GodaCanalBanaskanthaGujaratCrimeMasssuicideMentalHealth
Next Article