ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદીએ સાબરમતી રિપોર્ટના કર્યા વખાણ, કહ્યું- 'જે સાચું છે તે ચોક્કસપણે બહાર આવે છે'

ગોધરા ઘટના બનાવવામાં આવી ફિલ્મ ફિલ્મનું નામ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ પર PM મોદીએ એ આપ્યું નિવેદન PM નરેન્દ્ર મોદીએ ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' પર મોટું નિવેદન આપ્યું છે. PM એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X...
05:53 PM Nov 17, 2024 IST | Dhruv Parmar
ગોધરા ઘટના બનાવવામાં આવી ફિલ્મ ફિલ્મનું નામ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ પર PM મોદીએ એ આપ્યું નિવેદન PM નરેન્દ્ર મોદીએ ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' પર મોટું નિવેદન આપ્યું છે. PM એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X...
  1. ગોધરા ઘટના બનાવવામાં આવી ફિલ્મ
  2. ફિલ્મનું નામ 'ધ સાબરમતી રિપોર્ટ'
  3. ફિલ્મ પર PM મોદીએ એ આપ્યું નિવેદન

PM નરેન્દ્ર મોદીએ ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' પર મોટું નિવેદન આપ્યું છે. PM એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે આ બાબતનું સત્ય બહાર આવી રહ્યું છે તે સારી વાત છે. તેમણે કહ્યું કે, હવે સામાન્ય લોકો પણ તેને જોઈ શકશે.

ફિલ્મની પ્રશંસા કરતા PM મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર આલોક ભટ્ટ નામના વ્યક્તિની ટ્વિટને રીટ્વિટ કરી છે. વાસ્તવમાં, આલોકે ચાર મુદ્દામાં ફિલ્મ વિશે જણાવ્યું છે. આલોકે ફિલ્મ વિશે કહ્યું કે, આ પ્રયાસ પ્રશંસનીય છે, કારણ કે આ આપણા ઈતિહાસની સૌથી શરમજનક ઘટના છે. આવી સ્થિતિમાં આ ઘટનાનું સત્ય બહાર લાવવું જરૂરી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓ રદ કરીને Amit Shah અચાનક દિલ્હી કેમ પહોંચ્યા? આ છે કારણ...

આ ફિલ્મ મૃત્યુ પામેલાઓને સાચી શ્રદ્ધાંજલિ...

PM મોદીએ શેર કરેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મના નિર્માતાઓએ ખૂબ જ ઈમાનદારીથી ફિલ્મ બનાવી છે. ગોધરાની ઘટના એક સંવેદનશીલ મુદ્દો છે અને તેને ફિલ્મમાં અત્યંત સંવેદનશીલતા સાથે બતાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગોધરાની ઘટનામાં 59 લોકોના મોત થયા હતા. ટ્વિટમાં વધુમાં કહ્યું કે, સત્યનો વિજય થાય છે અને આ ફિલ્મ સાચા માણસો અને આ કેસમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ છે. આ ફિલ્મ દ્વારા મૃત્યુ પામેલા નિર્દોષ પીડિતોને તેમના વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો.

આ પણ વાંચો : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા AAP માં જોડાયા

ફિલ્મમાં શું બતાવવામાં આવ્યું છે?

તમને જણાવી દઈએ કે, હાલમાં જ ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' રિલીઝ થઈ છે, આ ફિલ્મની વાર્તા ગોધરા રમખાણો પર આધારિત છે. આ ફિલ્મ બતાવે છે કે મીડિયાના જુદા જુદા વિભાગના લોકો કેવી રીતે રમખાણો અંગે અહેવાલ આપે છે અને કેવી રીતે તેઓ આ ઘટનાની માહિતી લોકો સુધી પહોંચાડે છે.

આ પણ વાંચો : Delhi પોલીસે સલમાન અને અરબાઝની કરી ધરપકડ, જાણો કેમ...

Tags :
Amit ShahBollywoodentertainmentFilmGodhra IncidentGujaratGujarati NewsIndiaNarendra ModiNationalpraisedThe Sabarmati Report
Next Article