ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાબા બાગેશ્વર ધામના નામે બે બહેનોએ શરૂ કરી Tea Stall

શું તમે જાણો છો કે છપરામાં રહેતી બે બહેનોની જોડીએ બાગેશ્વર ધામ બાબાના પ્રેમથી ચાની સ્ટોલ શરૂ કરી છે. તેને બાબા બાગેશ્વર ધામ ટી સ્ટોલ નામ આપવામાં આવ્યું છે. બંને બહેનો બાબાના પરમ ભક્ત છે બંને બહેનોને 10મા ધોરણથી...
08:45 PM May 17, 2023 IST | Hardik Shah
શું તમે જાણો છો કે છપરામાં રહેતી બે બહેનોની જોડીએ બાગેશ્વર ધામ બાબાના પ્રેમથી ચાની સ્ટોલ શરૂ કરી છે. તેને બાબા બાગેશ્વર ધામ ટી સ્ટોલ નામ આપવામાં આવ્યું છે. બંને બહેનો બાબાના પરમ ભક્ત છે બંને બહેનોને 10મા ધોરણથી...

શું તમે જાણો છો કે છપરામાં રહેતી બે બહેનોની જોડીએ બાગેશ્વર ધામ બાબાના પ્રેમથી ચાની સ્ટોલ શરૂ કરી છે. તેને બાબા બાગેશ્વર ધામ ટી સ્ટોલ નામ આપવામાં આવ્યું છે.

બંને બહેનો બાબાના પરમ ભક્ત છે

બંને બહેનોને 10મા ધોરણથી જ કંઈક કરવાની ઈચ્છા હતી, જેથી કરીને તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે. અગાઉ તે નાની હતી તેથી તે કરી શકતી ન હતી. પરંતુ હવે તેઓને ગ્રેજ્યુએશનમાં એડમિશન મળી ગયું અને પટના આવી ગયા, આ દરમિયાન બાબા બાગેશ્વર પટના આવવાના હતા, તેથી તેમને લાગ્યું કે, કંઈક શરૂ કરવા માટે આનાથી સારો સમય હોઈ શકે નહીં. તેઓ બાબાના પરમ ભક્ત છે. તેથી જ તેણીએ ઉતાવળમાં પોતાના ખિસ્સાના પૈસા અને તેમની પાસે જે કંઈ પણ પૈસા હતા, તેનાથી પરિવારજનોને જાણ કર્યા વિના, 5 અને 10 રૂપિયામાં લોકોને ચા પીરસવાનું શરૂ કરી દીધું. સૌથી મહત્વની વાત એ છે કે, આત્મનિર્ભર બનવાનો જુસ્સો અને બાબાની ભક્તિ એવી છે કે છોકરી હોવા છતાં તે આટલા દૂરથી આવીને કથા સ્થળ પર ચા વેચે છે. પરિવારના સભ્યોને પણ તેની કોઈ જાણ નથી. કથા બાદ આ સ્ટોલ પટનાના રાજબજારમાં લગાવવામાં આવશે.

ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે

પિતા રામકૃપાલ ગર્ગ અને માતા સરોજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવારમાં છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને એક નાનો ભાઈ અને એક બહેન છે. ભાઈનું નામ રામ ગર્ગ અને બહેનનું નામ રીટા ગર્ગ છે. કહેવાય છે કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની માતા તેમને પ્રેમથી ધીરુ કહીને બોલાવે છે. તેમનો જન્મ  4 જુલાઇ, 1996ના રોજ થયો હતો. તેઓ હાલ 26 વર્ષના છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શા માટે પ્રખ્યાત છે?

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ચમત્કારોના કારણે દેશભરમાં જાણીતા છે. ભક્તો તેમની અરજીઓ બાગેશ્વર ધામમાં મૂકે છે અને બાબા કાગળની કાપલી પર લખીને તેમની સમસ્યાઓના ઉકેલ અથવા ઉપાયો જણાવે છે.

આ પણ વાંચો - વિમાનમાં પહેલીવાર બેઠેલા શખ્સે કર્યું એવું કે અન્ય PASSENGERS ડરી ગયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Baba BageshwarBaba Bageshwar Dham tea stallBageshwar Dham NewsTea Stall
Next Article